વિશ્વમાતૃત્વની જાગૃતિ

પુરુષ તો સામાન્યતઃ મસલ પાવરમાં વિશ્વાસ રાખે છે. બાહ્યરૂપે પરુષો  સ્ત્રીને, માઁ, પત્ની કે બેન તરીકે જૂએ છે. પરંતુ સચ્ચાઇને છૂપાવવાનો કોઇ અર્થ નથી, આંતરિક રીતે, સ્ત્રીને સમજવી, સ્વીકારવી અને ઓળખવી, પુરુષ માટે મુશ્કેલ છે.

અમ્માને એક કથા યાદ આવે છે.

એક સ્ત્રી હતી જે નિષ્કામ સેવાને ઇશ્વર સેવા માનતી હતી અને આમાં તેને ઘણો જ સંતોષ મળતો હતો. તે ગામના ધર્મગુરુએ તેની પુરોહિત તરીકે નિમણૂંક કરી. આ વિસ્તારમાં તે પ્રથમ મહિલા હતી કે જેને પૂરોહિતની પદવી પ્રાપ્ત થઇ હતી. અન્ય પુરુષ પૂરોહિતોને આ બિલકુલ ગમ્યું નહિ. એટલું જ નહિ, તેઓને આ પુરોહિત પ્રત્યે સારો એવો ક્રોધ અને ઇર્ષા પણ હતી. વિનયશીલ, નિષ્ઠાવાન અને આધ્યાત્મિક જ્ઞાનને લઇ, તે પુરોહિત બહુજ જલ્દી પ્રસિદ્ધ થઇ. બધાજ લોકો તેની પ્રશંસા કરતા હતા.

આ સાથે પુરોહિતો અદેખાઇ કરવા લાગ્યા. એક દિવસ પાસેના દ્વીપપર કોઇ સભાયાગમાં ભાગ લેવાનું થયું. બધાજ પુરોહિતો આ યાગમાં ભાગ લેવા રવાના થયા. આ પુરોહિતોએ જાણીજોઇને પેલી પુરોહિતને બોલાવી નહિ. પરંતુ જયારે તેઓ બોટમાં બેઠા તો પેલી ત્યાં પહેલેથી જ બેઠી હતી. “અહીં પણ આ મુસિબત આવી પહોંચી કે,” તેઓ બડબડાટ કરવા લાગ્યા. દ્વિપ સુધી પહોંચવાને બે ત્રણ કલાકનો પ્રવાસ હતો. માંડ એકાદ કલાક થયો હશે કે બોટ થંભી ગઇ. આકુળ વ્યાકુળ થતા બોટનો ડ્રાઇવર બોલી ઉઠ્યો, “અરે, આપણે તો હવે ફસાઇ ગયા. ડીઝલ ખલાસ થઇ ગયું છે. જરૂર પૂરતું ડીઝલ લેતા હું ભૂલી ગયો. પાસે બીજી કોઇ બોટ પણ દેખાતી નથી. હાય, હવે આપણે શું કરીશું?” બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું. ત્યારે પેલી પુરોહિત આગળ આવી અને કહ્યું, “ભાઇઓ, ચિંતા કરશો મા. હું હમણાં જ ડીઝલ લઈને પાછી ફરું છું.” આટલું કહી તે બોટમાંથી ઉતરી અને પાણીપર ચાલતી સામે કિનારે ગઇ. એક ક્ષણ માટે  બધા અવાક બની જોઈ રહ્યાં. પરંતુ બીજીજ ક્ષણે પરિહાસ કરતા તેઓ બોલ્યા, “જોયું કે, પેલીને તો તરતાય નથી આવડતું.”

કેટલાક પુરુષોનો મનોભાવ આવો હોય છે. સ્ત્રીને ઉતારી પાડવી, તેઓને વખોડવી, ઠપકો આપવો, દોષિત ઠરાવવી એ પુરુષની પ્રકૃતિ છે. સ્ત્રી, કોઇ પુરુષના હાથની અલંકારની વસ્તુ નથી. પુરુષે સ્ત્રીને કૂંડામાં વાવેલા છોડના જેવી બનાવી મુકી છે. સ્ત્રી, પુરુષોની સેવા ચાકરી કરવા માટે નથી. તેણીના વિકાસમાં અવરોધો મૂકી, પોતાની ઇચ્છા મુજબ, ટેપરેકોર્ડરની જેમ, તેણીનું વર્તન કરાવવા માટે પુરુષ સદા પ્રયત્નશીલ રહેતો હોય છે.

શરીરથી અને બુદ્ધિથી, સ્ત્રી અબળા છે એવી ધારણા પુરુષની છે. આ બંને કાર્યોમાં સ્ત્રી કરતાં તેઓ ઘણા ઘણા ઉચ્ચ છે, ઉત્તમ છે, એવી તેઓની માન્યતા છે. તેઓના આશ્રય સિવાય સમૂહમાં સ્ત્રી આગળ ન આવી શકે. અહીં આપણે પુરુષોનું દૂરઅભિમાન અને અહંકારને પ્રત્યક્ષ જોઇ શકીએ છીએ.

ભૌતિક રીતે વિકસિત એવા દેશોમાં પણ આ વ્યવહાર જોવા મળે છે. વિકસિત દેશોમાંના આગળની પંકતના રાષ્ટ્રોમાં પણ, જયારે રાજ્યભરણની વાત આવે છે ત્યારે સ્ત્રીને પાછળનું સ્થાન અપાય છે. આ ઘણું રસપ્રદ છે કે, કહેવાતા એવા વિકસિત દેશો કરતાં વિકસતા દેશોમાં સ્ત્રીને રાજનીતિમાં આગળ આવવા માટે વધુ અવસરો પ્રાપ્ત છે. વિરલ એવી અમુક મહિલાઓના નામ સિવાય વિશ્વ રાજનીતિમાં કેટલી મહિલાઓ છે? આ માટેનું કારણ શું સ્ત્રીની અયોગ્યતા કે પછી તેઓની અવગણના કરનાર પુરુષવર્ગનું અભિમાન?

બાહ્ય સંજોગો, સ્ત્રીને જાગૃત થવા તેમજ તેમનું પુનરુત્થાન કરવા ચોક્કસ સહાયરૂપ હોય છે. પરંતુ, સંજોગોમાંથી સ્ત્રીએ સ્વયં પ્રોત્સાહન મેળવવું જોઇએ. સ્વયં પોતાની અંદર રહેલી શક્તિને સ્ત્રીએ ઓળખવી જોઇએ. યથાર્થ શક્તિ અને વીરતા, તે બાહરથી પ્રાપ્ત નથી થતા. આ તો અંતરમાંથી પ્રાપ્ત થાય છે. ધીરતા એ મનની ભાવના છે; તે શરીરનો ગુણ નથી.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ ૨