વિશ્વમાતૃત્વની જાગૃતિ

સ્ત્રીએ ધીર બનવાનું છે. તેને વિકસવાને અનૂકુળતા ન આપતા એવા સમૂહના નિયમો અને નિયંત્રણથી બહાર આવવાની શક્તિ સ્ત્રી ધરાવે છે. આ અમ્માનો પોતાનો અનુભવ રહ્યો છે. મંદિરોમાં પ્રતિષ્ઠાકર્મ કરવાને, મંદિરોમાં પૂજા વિધી, વેદોના મંત્રોચ્ચાર કરવાને સ્ત્રીઓને અનુમતિ ન હતી. તેમ છતાં, અમ્મા સ્ત્રીઓ પાસે આ બધાજ કર્મો કરાવે છે. આશ્રમ દ્વારા સ્થાપિત મંદિરોમાં અમ્મા સ્વયં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરે છે. કેટલાક લોકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો. કારણ કે, આજે પેઢી દર પેઢીથી આ કાર્ય માત્ર પુરુષો જ કરતા આવ્યા છે. જે કોઇએ પ્રશ્ન ઉઠાવ્યો, તેઓને જવાબમાં અમ્માએ કહ્યું કે, “સ્ત્રી પુરુષમાં જે ભેદભાવ ન રાખે, જે બધાજ પ્રકારના ભેદભાવથી પર છે, એવા ઇશ્વરની અમે આરાધના કરીએ છીએ”. સમૂહના મોટાભાગના લોકોએ, ક્રાંતિકારી એવા આ પરિવર્તનને સ્વીકૃતિ આપી હતી. હિંદુ સંસ્કૃતિમાં સ્ત્રીપર કયાંય કોઇ પ્રતિબંધ મુકવામાં આવ્યા નથી. આ કયારેય ભારતની સંસ્કૃતિના ભાગ હતા નહિ. સ્ત્રીને પોતાને આધીન કરવી, તેનું શોષણ કરવું, આધુનિક સમુદાયના પુરુષોએ બનાવેલા આ નિયમો છે. આ નજીકના સમયમાં આવેલું પરિવર્તન છે; પ્રાચિન ભારતમાં આવા કોઇ પ્રતિબંધો હતા નહિ.

સમાજમાં સ્ત્રીને આદરણીય સ્થાન આપતી ભારતની આ શ્રેષ્ઠ પરંપરા રહી છે. ભારતમાં સ્ત્રીને પત્નીનું સ્થાન અપાય છે, (પતિનું માર્ગદર્શન કરનારી), ધર્મ પત્ની (પતિને ધર્મના માર્ગપર દોરનારી), સહધર્મિણી (પતિ સાથે ધર્મના પથપર ચાલનારી), ભારતની સંસ્કૃતિમાં સ્ત્રી માટે આવા આદર યુક્ત પદોનો ઉપયોગ થાય છે.

ભારતમાં ઇશ્વરને માત્ર પુરુષના રૂપમાં જ આરાધવામાં નથી આવતા; સ્ત્રીરૂપમાં માઁ તરીકે, દેવી તરીકે, સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, નિર્વાહ કરનારી, ભિન્ન ભિન્ન રૂપમાં અને ભાવમાં આરાધના કરવામાં આવે છે. જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતી, સંપત્ત્તિ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મી, શક્તિ અને ધીરતાની દેવી દુર્ગા, આજે પણ ભારતમાં સર્વત્ર દેવીની આરાધના થાય છે. એક જ શક્તિ, સંતાનલક્ષ્મી બની સંતાન આપે છે, ભાગ્યલક્ષ્મી તરીકે ભાગ્ય ઊઘાડે છે,  આ પ્રમાણે નાનારૂપે તેની આરાધના થાય છે. સ્ત્રીને, જન્મદેનારી માઁ તરીકે, જગદ્ જનની જગદંબા તરીકે, મહામાતા તરીકે આરાધના કરવી, આ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ઠ પરંપરા રહી છે. સમસ્ત પ્રકૃતિને ભારતના લોકો માતા તરીકે નિહાળે છે. સ્ત્રીને પુરુષ સમો વડું સ્થાન અને આથી પણ ઉચ્ચતર સ્થાન ભારતીય સમાજમાં હતું, આ ઉદાહરણો, આ સત્યને સાબિત કરે છે.

સ્ત્રીને બહુજ ઓછી સ્વતંત્રતા આપતા એવા ઇસ્લામ ધર્મમાં અનેક પ્રતિબંધો છે. તેમ છતાં, કરૂણા, દયા અને જ્ઞાન  ઈશ્વરીય સત્વ ગુણોને સૂચવે છે. સ્ત્રીત્વને સંબંધિત એવા આ વચનનો ઉલ્લેખ અને પ્રયોગ કુરાનમાં છે.

ઈસાઈધર્મ ઇશ્વરને પિતા તરીકે, પુત્ર તરીકે, પરિશુદ્ધ આત્મા તરીકે ઓળખે છે. ઈશુને સ્ત્રી અને પુરુષ સમાન હતા. પરંતુ, ઇશ્વરની માતાના રૂપમાં આરાધના કરવાની પ્રથાને ઈસાઈ મતમાં ખાસ પ્રચાર મળ્યો ન હતો. મેરીએ પરિશુદ્ધ ગર્ભ ધારણ કર્યો અને ઈશુને જન્મ આપ્યો, એમ બાઇબલમાં કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે જોતા, ઈશુને, કૃષ્ણને, બુધ્ધને બધાજને જન્મ લેવા માટે એક સ્ત્રીની જરૂર પડી હતી. પ્રસવ વેદના અને પ્રયાસો સહી, પ્રવચકોને અને ઇશ્વરાવતારોને જન્મ લેવા સ્ત્રીની આવશ્યકતા પડે છે. તેમ છતાં જીવનભર તેને પુરુષને આધીન રહી, વગોવાયેલું જીવન વિતાવવું પડે છે, કેટલું વિરોધાભાસી વલણ છે આ. અધિક લોકો તેમની ચિંતા નથી કરતા, કેવા દૂર્ભાગી છે તેઓ.

કોઇપણ યથાર્થ ધર્મ સ્ત્રીની અવગણના નથી કરતો. જે લોકોએ ઇશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે તેઓ સ્ત્રી અને પુરુષને, ભેદબુદ્ધિથી ન જોઇ શકે. તેઓ સમદર્શી હોય છે. વિશ્વમાં એવા કોઇ સમૂહમાં કે જ્યાં સ્ત્રીને પોતાની સ્વાતંત્રતા માણવા વિરુદ્ધ નિયમો અને પ્રતિબંધો લાદવામાં આવે છે, તે પુરુષના સ્વાર્થમાંથી નીતરતા નિયમો છે, તે ઇશ્વરના વચનો નથી.

જો પૂછવામાં આવે કે જમણી આંખ મહત્વની છે કે ડાબી આંખ. તો તેનો જવાબ હશે, બંને આંખનું મહત્વ સમાન છે. આ જ પ્રમાણે છે સમૂહમાં સ્ત્રી અને પુરુષનું સ્થાન. જે સ્ત્રીથી ન થાય તે પુરુષ કરી શકે છે. એવા અનેક કાર્યો છે જે પુરુષથી અસાધ્ય છે, પરંતુ સ્ત્રી તેને સાધ્ય કરી શકે છે. આ પ્રમાણે સમૂહમાં સ્ત્રીએ અને પુરુષે, પોતપોતાનું સ્થાન સ્વયં સમજી લેવું જોઇએ. પરસ્પર સહાયરૂપ બનવું જોઇએ. જયારે આમ થશે માત્ર ત્યારેજ પ્રકૃતિનો તાલમેળ સચવાશે. સ્ત્રી અને પુરુષ, જયારે પરસ્પર શક્તિના પૂરક તરીકે પ્રવર્તશે, માત્ર ત્યારેજ તેઓ પૂર્ણત્વને પ્રાપ્ત થશે.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ ૩