બાળકો, “ત્યાગૈનૈકે અમૃતત્વમાનશુઃ” અનેકવાર આપણે આ મંત્રને સાંભળ્યો છે. ત્યાગ દ્વારા અમૃત તત્વને પ્રાપ્ત કરી શકાય. આ મંત્ર ફ઼ક્ત જાપ કરવાને કે સાંભળવાને નથી. આ તો જીવનમાં ઉતારવાનું તત્વ છે. આ મંત્રના જાપથી પણ ક્યાંય અધિક મહત્વનું, આ તત્વને જીવનમાં ઉતારવાનું છે.

આપણું પોતાનું બાળક બીમાર પડે તો આપણે તેને ઉંચકીને હોસ્પિટલ લઈ જશું. જો કોઈ વાહન ન મળે અને હોસ્પિટલ બહુ દૂર હશે,  તો ચાલીને આપણે ત્યાં જશું. બાળકને દાખલ કરવા, કેટલાય લોકોના પગ પકડવાને તૈયાર હશું. જો સ્પેશ્યલ વાર્ડ ન મળે તો, ભલે ગમે તેટલી મોટી વ્યક્તિ હશે, સામાન્ય વાર્ડમાં બાળકની સાથે ગંદી ફર્શ પર સૂવાને તૈયાર હશે. બાળકની સંભાળ લેવા માટે ઑફિસમાંથી ઘણા દિવસોની રજા લેશે.પરંતુ,આ બધું કષ્ટ ફક્ત પોતાના બાળક માટે ઊઠાવશે. આને ત્યાગ ન કહેવાય. એક સેંટ જમીન માટે અનેકવાર ન્યાયાલયના દાદરા ચડ-ઉતર કરવા તૈયાર હશું. આ પોતાની જગ્યા માટે કરીશું. ઊંઘનો ત્યાગ કરી રાતપાળી કરીશું. પરંતુ આ આપણે સ્વયં માટે કરીશું.આમાંનું કંઈજ ત્યાગ ન કહેવાય.

જે પોતાના સુખ આરામનો ત્યાગ કરી, અન્ય કોઈની સહાય કરે તો તેને ત્યાગ કહી શકાય. પોતે મહેનત કરી, કષ્ટ સહન કરી મેળવેલી રકમથી જો કોઈ ગરીબની સહાય કરે, તો તે ત્યાગ કહેવાય. પાડોશીનું બાળક બીમાર પડે અને જો કોઈ તેને જોવાવાળું ન હોય, ત્યારે કોઈ પણ પ્રકારના વળતરની ઇચ્છા વિના, એક સ્મિતની પણ આશા કર્યા વિના હોસ્પિટલમાં બાળક સાથે રાત રહેવાને તૈયાર થાય તો તેને ત્યાગ કહી શકાય.

વ્યક્તિગત જીવનમાં કોઈ સુખ સુવિધામાં ઘટાડો કરી, તે દ્વારા બચત કરેલી રકમનો ઉપયોગ દાન ધર્મ માટે કરો, તો તે ત્યાગ બને છે. આ પ્રકારના ત્યાગપૂર્ણ કર્મ, આત્મલોકના દ્વાર પર ટકોરા મારવા જેવું છે. આ પ્રકારના કાર્યો તે દ્વારને ખોલે છે. આ પ્રકારના કર્મ જ કર્મયોગ બને છે. ત્યાગપૂર્ણ કર્મ જો જીવને આત્મલોક તરફ પહોંચાડે છે, તો અન્ય કર્મ મરણ તરફ દોરી જાય છે. “હું” અને “મારું”ના ભાવથી કરેલું કર્મ ક્યારેય આપણી સાથે, આપણી સહાય કરવા નથી આવતું.

ઘણા દિવસો સુધી ન મળ્યા હો, તે મિત્રને મળવા જશું, ત્યારે પ્રેમથી તેને પુષ્પગુચ્છ ભેટ આપીશું. પરંતુ, આ પુષ્પગુચ્છનું સૌંદર્ય અને તેની સુંગંધનો આનંદ સર્વપ્રથમ આપણે માણીએ છીએ. તેને આપવાથી તેમાં રહેલો સંતોષ પણ આપણે જ અનુભવીએ છીએ. આ જ પ્રમાણે, નિષ્કામ કર્મ દ્વારા આપણી જાણબહાર જ આપણને સંતૃપ્ત અને આનંદ પ્રાપ્ત થાય છે.

આપણી શરીરની ફરતી એક “આભા” (ઓરા) છે. આપણે જે કંઈ કરીએ, તેને ટેપમાં ઉતારવાની જેમ, આ આભામાં આપણું  એક એક કર્મ અંકિત થાય છે. જો સારા કર્મ કરીશું તો તે અનુસાર આભાનો રંગ સ્વર્ણીય કિરણો જેવો બની જશે. તેઓ જે કાર્ય હાથ ધરશે, તે કોઈ પ્રકારના પ્રતિબંધો વિના પાર પડશે. તેમનું દરેક કર્મ ઐશ્વર્યપૂર્ણ હશે. સોડાની બોટલ ખોલીએ ત્યારે જેમ તેનો ગેસ અંતરીક્ષમાં એક થઈ જાય છે, તેમ તેઓ બ્રહ્માનંદમાં લીન થાય છે.

જે લોકો બૂરા કર્મ કરે છે, તેમની આભામાં અંધકાર છવાય છે. તેઓ ક્યારેય સમસ્યાઓ અને પ્રતિબંધોમાંથી ઊભા નથી થતા. મરણાંતર પછી પણ તેમની આભા ધરતીના સ્તર પર જ રહે છે અને કીડાઓનો આહાર બને છે. ફરી તેમણે અહીં જ જન્મ લેવો પડે છે.

બાળકો, ત્યાગપૂર્ણ કર્મ કરનાર સમયના અભાવના કારણે જપ નહિ કરી શકે તેમ છતાં તેઓ અમૃતત્વને પ્રાપ્ત થાય છે. તેઓ અમૃતની જેમ બીજા માટે ઉપકારી બની રહે છે. જેને જોઈ પોતાના જીવનમાં તેનું અનુકરણ કરી શકે, તે સર્વશ્રેષ્ઠ સત્સંગ છે, ત્યાગપૂર્ણ જીવન.