Tag / વળતર વિના

બાળકો, કાળજીપૂર્વક તેમજ વિવેકપૂર્વક દાન ન કરીએ, તો જે દાન સ્વીકારે છે, તેમના અવિવેકભર્યા કાર્યોના કારણે  આપણને પ્રારબ્ધ અનુભવવાનું થાય છે. જેનું સ્વાસ્થ્ય સારું હોય, એવી કોઈ વ્યક્તિ ભીક્ષા માટે આવે, તો તેને ખોરાક આપશો પણ પૈસા આપશો નહિ. તેને કોઈ કામ કરી જીવન નિર્વાહ કરવા માટે કહેશો. તેમને પૈસા આપી આપણે તેમને આળસુ બનાવીએ […]

બાળકો, “ત્યાગૈનૈકે અમૃતત્વમાનશુઃ” અનેકવાર આપણે આ મંત્રને સાંભળ્યો છે. ત્યાગ દ્વારા અમૃત તત્વને પ્રાપ્ત કરી શકાય. આ મંત્ર ફ઼ક્ત જાપ કરવાને કે સાંભળવાને નથી. આ તો જીવનમાં ઉતારવાનું તત્વ છે. આ મંત્રના જાપથી પણ ક્યાંય અધિક મહત્વનું, આ તત્વને જીવનમાં ઉતારવાનું છે. આપણું પોતાનું બાળક બીમાર પડે તો આપણે તેને ઉંચકીને હોસ્પિટલ લઈ જશું. જો […]