એક આશ્રમમાં એક ગુરુ, ઘણા શિષ્યો સાથે વાસ કરતા હતા. ગુરુની સમાધિ પછી થોડો સમય ગુરુના સ્મરણમાં પસાર થયો. ત્યાર પછી શિષ્યોની સાધનામાં ઘટાડો થયો. જપ ધ્યાન રહ્યાં નહિ. પરપસ્પર ઇર્ષા અને અદેખાઇમાં વૃદ્ધિ થઈ. દરેકનું લક્ષ્ય ફક્ત સ્થાનમાન બની ગયા. આ સાથે આશ્રમના અંતરીક્ષમાં પણ પરિવર્તન આવ્યું. ત્યાં આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો. આશ્રમમાં જાણે સન્નાટો છવાઈ ગયો હતો. સ્થાન માનનો મોહ લાગે પછી મનુષ્યની મતિ મારી જાય.પછી શું કરવું અને શું ન કરવુંનો કોઈ વિવેક રહેતો નથી. આશ્રમનું આ અંતરીક્ષ જોઈ, ત્યાંના એક શિષ્યને બહુ દુઃખ થયું. તે નજીકમાં રહેતા એક વૃદ્ધ મહાત્માને મળવા ગયો અને આશ્રમની પરિસ્થિતિ વિષે બધુ જણાવ્યું. જયાં રોજ સેંકડો લોકો આવતા હતા, પ્રતિદિન ઉત્સવ જેવો પ્રતીત થતો હતો, તે આશ્રમ આજે સ્મશાન જેવો વિજન બની ગયો હતો. શિષ્યે જે બધું કહ્યું, તે સાંભળ્યા પછી તે મહાત્માએ કહ્યું, “તમારી વચ્ચે એક મહાત્મા છે. બીજા લોકો તેમને ન જાણે, તે માટે વેશપલટો કરી તે ત્યાં રહે છે. તમે જો તેમનું અનુસરણ કરો તો તમારો આશ્રમ પહેલાં કરતાં પણ ક્યાંય વધારે પ્રગતિ કરશે. ક્યાંય વધુ પ્રશસ્તિ મેળવશે.” તે શિષ્ય કોણ છે, એમ પૂછે તે પહેલાં જ તે મહાત્મા સમાધિસ્થ થયા.

શિષ્ય આશ્રમ પાછો ફર્યો અને સહપાઠી સાથે વિચારવા લાગ્યો. પોતાનામાં કોણ છે તે મહાત્મા. શું બધા માટે જે રસોઈ તૈયાર કરે છે, તે છે? તે તો ન હોય શકે. તેને તો એક રસોઈ પણ ઠીકથી બનાવતા નથી આવડતી. તેના કારણે, પહેલાં જે સ્વાદિષ્ટ ભોજન ખાવાને મળતુ હતું, તેનો સ્વાદ સુધ્ધા હવે યાદ નથી રહ્યો. તે કેવી રીતે મહાત્મા હોય શકે? શું બગીચાની જે સંભાળ લે છે, તે હશે? તેના તો એક કામમાં પણ ભલીવાર નથી હોતી. કોઈ વાત કરીશું કે તે ક્રોધથી લાલપીળો થશે. તો પછી, જે ગાયોની સંભાળ લે છે તે? તે ન હોય શકે. તે તો વાત વાતમાં ક્રોધ કરશે. આ પ્રમાણે જયારે તે દરેકમાં કોઈ ને કોઈ દોષ જોતો હતો, ત્યારે તેની પાસે ઊભેલા શિષ્યે કહ્યું, “આપણે શા માટે તેમની પ્રવૃત્તિઓનું વિશ્વ્લેષણ કરવાનું. મહાત્માઓના વર્તન પરથી તેમનું મૂલ્યાંકન થઈ શકે નહિ. તેમની દરેક પ્રવૃત્તિ આપણા ભલા માટે જ હોય છે. તેમની સામે વિનયપૂર્વક ઊભા રહીએ, તો જ આપણને લાભ થાય. આપણે તેમનામાં કોઈ દોષ ન જોવો જોઈએ. માટે આપણે એક કામ કરીએ,  આપણે આશ્રમના બધા લોકો સાથે વિનયપૂર્વક વર્તન કરીશું. બીજા લોકોના દોષ શોધવા કરતાં બધામાં સારું જ જોવાનો પ્રયત્ન કરીશું.  પહેલાંની જેમ નિયમોનું પાલન કરીશું”.

આ પ્રમાણે તેમણે બધા સાથે પ્રેમભર્યું વર્તન કરવાની શરૂઆત કરી. બધા સાથે વિનયપૂર્વક વર્તન કરવા લાગ્યા. આ બંનેને પરસ્પર પ્રેમથી, વિનયથી,  તેમજ બધા સાથે પણ આ પ્રમાણે વર્તન કરતા જોઈ, બીજા લોકો પણ તેમનું અનુકરણ  કરવા લાગ્યા. બધાને પછી આનંદ થયો. આશ્રમમાં ફરી ઉત્સવનું વાતાવરણ બની ગયું. પહેલાં કરતાં પણ  કયાંય વધું ઐશ્વર્ય ત્યાં હતું. આ પ્રમાણે તેઓ બધા સાક્ષાત્કાર માટે યોગ્ય થયા.

બાળકો, સર્વકાંઈનો આધાર પ્રેમ છે.  અન્ય લોકો પ્રત્યેની કરુણા, એ તો ઈશ્વરમાં આપણું સમર્પણ છે.

બાળકો, ઈશ્વર તો આપણી અંદર જ છે. પરંતુ, અત્યારે તે બીજ રૂપમાં છે. તે બીજને અંકુરિત કરવું હોય તો કરુણાનું પાણી જોઈએ, સ્વાર્થતાના પ્રવાહીમાં તો તે નાશ જ પામે છે. એમાં કોઈ સંશય નથી. પોતાના માટે નહિ, પણ બીજા માટે કાર્ય કરવું તે જ કરુણા કહેવાય છે. તે કરુણાના નીરમાં જ તે વિકસે છે.

બાળકો, ધ્યાન માત્ર જ પર્યાપ્ત નથી. કરુણા પણ જરૂરી છે. સાબુથી ધોઈએ તો કપડા સ્વચ્છ થશે. પણ કપડામાં જો ડાધ હોય તો બ્લીચીંગ પાવડર જોઈએ. આ જ પ્રમાણે ધ્યાનની સાથે, અન્ય લોકો માટે કરુણા પણ આવશ્યક છે. જે દુઃખી છે, તેમની સહાય કરવાનું મન પણ આપણામાં હોવું જોઈએ. આ જ યથાર્થ સેવા છે. આવા કરુણાભર્યા હૃદયમાં જ ઈશ્વરકૃપા ઉતરે છે.

આંતરિક સાધના

અમ્મા હંમેશા કહેતા આવ્યા છે, ધ્યાન તો સ્વર્ણ સમાન બહુમૂલ્ય છે. ભૌતિક તેમજ આધ્યાત્મિક પુરોગતિ માટે ધ્યાન ઉત્તમ છે. એક દેશની ચલણી નોટ, ફક્ત તે દેશમાં જ સ્વીકારવામાં આવશે. અન્ય દેશમાં તેની કોઈ કિંમત  નથી. તેના પરની ક્રમાંક સંખ્યા જો ભૂસાઈ જાય, તો તે દેશમાં પણ તેની કોઈ કિંમત નથી રહેતી. પરંતુ, સોનાના સિક્કાનું આવું નથી. તેના પરની મહોર ઘસાઈ જાય તો પણ, કોઈ પણ દેશમાં તેની કિંમત ઓછી નહિ થાય. ધ્યાન પણ આવું જ છે. જે સમય આપણે ધ્યાનમાં વિતાવીએ છીએ, તે સમયનો બગાડ નથી. સોનામાં જો સુગંધ ભળે, તો તે અમૂલ્ય બની જાય. આ જ પ્રમાણે જયારે ધ્યાનની સાથે આપણામાં કરુણા આવી મળે છે. ત્યારે તે સોનામાં સુંગંધ જેવું છે. ત્યારે ઈશ્વર કૃપા પણ આપણામાં વહેવા લાગે છે. અને આ પ્રવાહમાં જે અવરોધો હોય છે, તેને દૂર કરે છે.

કેટલાક બાળકો અમ્મા પાસે આવીને કહેતા હોય છે, “તેણે મારાં પર જાદુટોણાંનો પ્રયોગ કરી,  મંત્ર તંત્ર કરાવે છે.”  બાળકો, આમાં વિશ્વાસ કરશો નહિ. પૂર્વે કરેલા કર્મનું ફળ જ આપણે અત્યારે અનુભવીએ છીએ. આ માટે કોઈને દોષ દેવાનો કોઈ અર્થ નથી. જીવન તો સુખ અને દુઃખથી ભરેલું છે. આ વચ્ચે સંતુલન રાખી આગળ વધવું જોઈએ. આ જ આધ્યાત્મિક્તા આપણને શીખવે છે. જેને આપણે વિધિ કહીએ છીએ, તે તો પૂર્વે કરેલાં કર્મનું ફળ જ નથી શું? આનો અર્થ થયો કે કર્મનું ઘણું મહત્વ છે. માટે બાળકો, મંત્રવાદ કે જાદુટોણાંમાં પૈસા ખરચ ન કરતા, એકાગ્રતા સાથે પ્રાર્થના કરવા પ્રયત્ન કરો. જરૂરતમંદ લોકોને દાન કરો. આ પ્રકારના સત્કર્મ દ્વારા ધાર્યુ ફળ મળે છે.

શકીએ. આપણા પ્રયત્ન થકી આવી પરિસ્થિતિમાં ૯૦% પરિવર્તન આપણે લાવી શકીએ.

મદ્યપાન કરી, પાગલ બનેલી વ્યક્તિ, શું બોલતો હોય છે, તેને સ્વયંને તેની જાણ નથી હોતી. આ કારણ સર બીજા લોકોના હાથે તેને માર પણ મળશે. આ જ પ્રમાણે વ્યક્તિના જન્મ સમયને અનુસરી જીવનમાં કઠિનાઈઓનો સમય આવે છે. સમયના આ ગાળાને જ મંગળ, શનિ, રાહુ દશા કહે છે. આ ગ્રહદોષના સમયે સંપત્તિનો નાશ થવો, અકસ્માત થવો, ઘરમાં ક્લેશ થવો, રોગ થવો, સગાસંબંધીઓને દુઃખ થવું, ન કરેલા ગુના માટે ખોટો આરોપ મુકવામાં આવે,  આ બધું બને છે. આ કોઈએ કરેલું જાદુટોણાં નથી. આના નામે જે ખરચ કરો, તેનાથી બાળકો પર જે દેવું હોય તે દૂર કરી શકો. પરંતુ, આ સમયે આપણે આળસું બનીને ન બેઠું રહેવું જોઈએ. એકાગ્રતાથી ઈશ્વરનું ધ્યાન કરવા પ્રયત્ન કરવો જોઈએ. સહસ્રનામની અર્ચના અચૂક કરવી જોઈએ. મંત્રજાપ પણ સતત ચાલું રહેવો જોઈએ. આ પ્રમાણે આ દુઃખોની તીવ્રતામાં આપણે ઘટાડો કરી શકીએ. આપણા પ્રયત્ન થકી આવી પરિસ્થતિમાં ૯૦% પરિવર્તન આપણે લાવી શકીએ.

ત્યારબાદ, એક બીજી બાબત બાળકો યાદ રાખશો. તમારા હાથે એવું કોઈ કાર્ય ન થવું જોઈએ, કે જેથી બીજાને કોઈ દુઃખ પહોંચે. આ અત્યંત દોષ કારક છે. આપણે જયારે બીજાને દુઃખ પહોંચાડીએ છીએ, ત્યારે એમ પણ બની શકે કે, તેઓ નિર્દોષ હોય. ત્યારે તેઓ આ પ્રમાણે શોક કરશે, “હે ભગવાન! તું તો જાણે છે કે સત્ય શું છે, છતાં આ લોકો આ પ્રમાણે બોલે છે.” આ પ્રમાણે જયારે ભારી હૃદયે તેઓ કહે છે, ત્યારે તે સંકલ્પ સૂક્ષ્મરૂપે આપણામાં પ્રવેશ કરે છે. ભવિષ્યમાં તે આપણા માટે હાનીકારક બની રહેશે. માટે જ કહેવામાં આવે છે કે, મનથી, વચનથી, કર્મથી કયારેય કોઈને વેદના પહોંચાડશો નહિ. આપણે ભલે કોઈને સુખ ન આપી શકીએ, પણ ઓછામાં ઓછું  એટલું તો ધ્યાન રહે કે આપણાથી કોઈને દુઃખ ન પહોંચે. આ ઈશ્વર કૃપાને લઈ આવે છે. વર્તમાનપત્રોમાં જાહેરાત દ્વારા નોકરી માટે અરજીઓ મંગાવવામાં આવે છે, ટેસ્ટ થાય છે, ઈંટરવ્યુ ચાલે છે, તેમછતાં જેણે બધા જ પ્રશ્નોના સાચા જવાબ ન આપ્યા હોય, તેને નોકરી માટે પસંદ કરવામાં આવે છે. માટે, આપણી ઇચ્છાનુસાર કંઈ જ નથી ચાલતું. જો આપણી ઇચ્છાનુસાર બધું બનતું હોય તો જેના ઉત્તર શ્રેષ્ઠ હતા, તેને જ નોકરી મળવી જોઈએ, ખરું ને? પણ હંમેશા આમ નથી બનતું.  માટે, બધાનો આધાર, એક ઈશ્વરેચ્છા જ છે. એક ઈશ્વરેચ્છાને સમર્પિત થઈ, આગળ વધવું જોઈએ.

ઈંટરવ્યુ કરનારે તે બીજા લોકો માટે એટલી કરુણા નહોતી અનુભવી, માટે જ જેણે બધા પ્રશ્નોના સાચા જવાબ લખ્યા ન હતા, તેને નોકરી મળી હતી. તેના પ્રતિ કરુણા અનુભવવાનું કારણ, આ પહેલાં તેણે કરેલા સતકર્મો હતા. આ જ ઈશ્વરકૃપા છે. આપણને પ્રાપ્ત અવસરો જો નાશ પામે તો તેથી દુઃખી થશો નહિ. ઇશ્વરની કૃપા માટે, સમયનો બગાડ ન કરતા, સારા કર્મો કરવા પ્રયત્ન કરવો જોઈએ.બીજા લોકો માટે આપણે કરુણા અનુભવવી જોઈએ. એ જ ઈશ્વર કૃપા છે. આ માટે આપણે સારા કાર્યો કરવા જોઈએ.

બીજને વાવી, જોઈતા પ્રમાણમાં ખાતર નાખી,  ઉનાળાના સમયમાં  બોરવેલ ખોદી પાણીના પંપથી ખેતરમાં પાણી પહોંચાડીએ છીએ. નિયમિત તેમાંથી ખળને કાઢીએ છીએ. પરંતુ, લણણી સમયે પૂર આવતા બધો જ પાક નાશ પામ્યો હોય, એવા કેટલાય બનાવો આપણે જોયા છે. તેમાં પ્રયત્ન હોવા છતાં ઈશ્વરકૃપા ન હોય તો કોઈ ફાયદો  નથી. પ્રયત્ન અને કૃપા પરસ્પર એકબીજા પર નિર્ભર કરે છે. આપણે જો સારા કર્મો કર્યા હશે તો જ આપણે ઈશ્વરકૃપાના પાત્ર બનીશું. આ માટે બાળકોના મનમાં સદ્વિચારોને જ સ્થાન હોવું જોઈએ. કારણ કે, વિચારોને અનુસરીને કર્મ હોય છે. આપણામાં હંમેશા સદ્વિચાર રહે, હંમેશા સારા કર્મ કરીએ, તે માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ.

 

અમૃતપુરીમાં ઓણમની ઉજવણી પર અમ્માનો સંદેશ ૧૯૯૫