પ્રેમસ્વરૂપ તેમજ  આત્મસ્વરૂપ, અહીં ઉપસ્થિત સર્વકોઇને પ્રણામ. આટલા વિશાળ મહાસંમ્મેલનનું સંગઠન કરનારાઓના પ્રયત્ન અને ત્યાગ શબ્દાતીત છે. અમ્મા આ પ્રકારની નિઃસ્વાર્થ ભાવનાને નમન કરે છે.

ઇશ્વરે આપણને આપેલી કાર્યદક્ષતા, તે આપણી માટે તેમજ આ સમગ્ર સંસાર માટેની નિધિ છે. પરંતુ, આ નિધિનો દુરુપયોગ કરી, આ સંસાર માટે અને સ્વયં આપણા માટે તે બોજારૂપ ન બનવી જોઇએ. જીવનની મહાન કરુણાંત ઘટના મૃત્યુ નથી. પણ મહાન દુઃખની વાત તો એ છે કે, જયારે આપણા જીવનકાલ દરમ્યાન જ, આપણી કાર્યદક્ષતાનો યોગ્ય ઉપયોગ ન થતા, તે વ્યર્થ જવા દેવામાં આવે છે. કુદરતી સંપત્તિ, જેટલી આપણે વાપરીએ, તેટલી તે ઓછી થાય છે. પરંતુ, મનુષ્યની ઇશ્વરદત્ કાર્યદક્ષતાની નિધિને જેમ જેમ આપણે ઉપયોગમાં લઇએ, તેમ તેમ તેમાં તો માત્ર વૃદ્ધિ જ થાય છે.

 તેમ છતાં, શું આપણે આ કાર્યદક્ષતાનો યોગ્ય ઉપયોગ કરીએ છીએ? વાસ્તવામાં, મનુષ્યનું લક્ષ્ય શું રહ્યું છે? કયાં પહોંચવાની ઇચ્છા કરતો હતો, માનવ સમૂહ?

વ્યક્તિગત રીતે તેમજ સમાજમાં, શક્ય તેટલું સુખ અને સંતૃપ્તિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય આપણા બધાનું નથી રહ્યું શું? પરંતુ આજે  આપણે ક્યાં ઊભા છીએ? આજે ઘણા લોકો, એક ભૂલમાંથી બીજી ભૂલ તરફ આગળ વધી રહ્યાં છે. આપણી સમસ્યાઓ વધુ ને વધુ ગંભીર બની છે. આની મધ્યે, હજુય પરીક્ષા કરવાને કે પારખવાને કંઇ બાકી રહ્યું છે શું?

રાષ્ટ્રીયશક્તિ, લશ્કરી તાકત, આયુધશક્તિ, આર્થિકશક્તિ, શાસ્ત્રસાંકેતિક શક્તિમાં વૃદ્ધિ કરવાનો પ્રયત્ન બધા જ દેશોએ કરી જોયો  છે. આજે  પણ આ ક્ષેત્રોમાં બધા અત્યાધિક જાગૃતતા દાખવે છે. આજે  કેટલા દિવસોથી આ બધા પરીક્ષણો આપણે કરી જોયા. તેમ છતાં, શું સાચી શાંતિ કે સંતોષ પ્રાપ્ત થયા કે?  સમય આ બાબતનો સાક્ષી રહ્યો છે કે આથી તો મનુષ્યને ઉદેશિત સંતોષ અને આત્મસંતૃપ્તિ પ્રાપ્ત નથી થતા. આજ સુધી, જેનાપર પરીક્ષણો નથી કર્યા તેવી આત્મીયશક્તિને જયારે વિકસાવવામાં  આવશે,  ત્યારે જ, મનુષ્યને ઉદેશિત શાંતિ અને સમાધાન હાથ આવશે.

વાસ્તવમાં, આજે સાધનસંપન્ન દેશના લોકો અને ગરીબ દેશના લોકો વચ્ચે, એક જ ફરક રહેલો છે. સમૃદ્ધ દેશના લોકો જયારે પોતાના એર-કંડીશન ઓરડાઓ અને વિશાળ બંગલાઓમાં બેસીને  રડે  છે,  ત્યારે  ગરીબ  દેશોના લોકો પોતાની ઝૂંપડીઓની ગંદી ફર્શપર બેસીને રડે છે. બસ, એટલો જ ફરક છે.

કોઇ પણ રીતે, એક વાત તો સ્પષ્ટ છે. આનંદ અને સંતોષ માણવાની ઇચ્છા રાખતો માનવ, આજે વિશ્વના વિવિધ ભાગોમાં આંસુ સારી રહ્યો છે; આ આંસુ અને આક્રંદ શાંતિ માટેના છે. દુઃખ અને દરદ આજે ઘણા દેશોની અધિકૃત છાપ બની ગઇ છે. આ બધા માટે, માત્ર ધર્મને જવાબદાર ઠરાવવો અર્થહીન છે. આ સમસ્યા માટેનું મૂળ કારણ તો, ધર્મ અને આધ્યાત્મિકતાની આજે જે રીતે વ્યાખ્યા થઇ રહી છે, તે છે.

 

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ)ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૧