ભક્ત : “અમ્મા, અમુક સમયે, હું મારાં વિકારોને નિયંત્રણમાં નથી રાખી શકતો. જેમ તેને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરું છું, તેમાં વૃદ્ધિ જ થાય છે.”

અમ્મા : “વિકારોને નિયંત્રણમાં રાખવા બહુ કઠિન છે. તેમ છતાં, તે નુકસાન નહિ કરે માટે જ, આહારમાં નિયંત્રણ બહુ જરૂરી છે. દ્રઢ મનઃશક્તિ ધરાવતી કોઈ વ્યક્તિના ખોરાકમાં થોડું ઘણું પરિવર્તન આવે, તો તે તેમને નુકસાન કરશે.  દુર્બળ મનવાળા લોકોને જ તે અત્યાધિક નુકસાન કરે છે.”

યુવક : “આહારથી સ્વભાવમાં પરિવર્તન આવે છે?”

 

અમ્મા : “હા, ચોક્કસ. પુત્ર, દરેક ખોરાકને પોતાનો એક સ્વભાવ હોય છે. આ જ પ્રમાણે, તીખાશ, ગળપણ, ખટાશ, વગેરે બધા રસનો એક સ્વભાવ હોય છે. સાત્વિક ખોરાક લેતા હો તો, તેનો પણ એક નિયમ છે. દૂધ, ઘી, આ બધું સાત્વિક હોવા છતાં, તેને અધિક માત્રામાં લેશો તો તે હાનિકારક હશે. દરેક ખોરાક આપણામાં વિવિધ અસર ઉત્પન્ન કરે છે. માંસાહાર લેવાથી, મન ચંચળ થાય છે.

“જે શક્તિ પ્રાપ્ત કરવા, સાક્ષાત્કારની તીવ્રેચ્છાથી સાધના કરે છે, તેમના માટે શરૂઆતમાં ખોરાકમાં નિયંત્રણ અનિવાર્ય છે.

“બીજને કોઈ છાયાવાળી જગ્યામાં વાવવું જરૂરી છે. ઊગીને વૃક્ષ બને પછી તે તડકો સહન કરવાને શક્તમાન બને છે. ઔષધ જેમ નિર્દેશિત માત્રામાં જ લેવાનું હોય છે, તે જ પ્રમાણે સાધના કરનારને ખોરાકમાં નિયંત્રણ જરૂરી છે. સાધનામાં ઘણી ઉર્ધ્વગતિ કર્યા પછી ખોરાકમાં નિયંત્રણની ખાસ જરૂર રહેતી નથી.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)