ભક્તજનોને રાહ જોતા જોઈ, અમ્મા ધ્યાન મંદિરમાંથી બહાર આવ્યા ભક્તોએ અમ્માને દંડવત કર્યા. ભક્તજનોને સાથે લઈ, અમ્મા કળરી મંડપમાં આવીને બેઠા. એક ભક્ત, એક થાળીમાં ફળો ધરી, અમ્માને પ્રણામ કરી, અમ્માની પાસે બેસી ગયો. અમ્મા : “પુત્ર, હવે તું કેમ છે?” તે ભક્ત કંઈ જ બોલ્યા વિના, માથું નીચું કરીને બેઠો રહ્યો. તે કોટ્ટાયમનો હતો. […]
Category / સંદેશ
સ્મિત કરતા અમ્માએ કહ્યું, “બાળકો, એકાગ્રતા એમ ઝડપથી પ્રાપ્ત થતી નથી. તેના માટે નિરંતર પ્રયત્ન જરૂરી છે. તેમછતાં, એકાગ્રતા ન થાય તો પણ સાધનાનો ક્રમ ક્યારેય તોડશો નહિ. એકાગ્રતા માટે સાધનામાં નિયમિત્તા જરૂરી છે. તે માટેનો સ્થિર ઉત્સાહ જોઈએ. પોતે આધ્યાત્મિક જીવન જીવે છે, તે બોધ સાથે પ્રત્યેક ક્ષણ જાગરૂકતા સાથે આગળ વધવું જોઈએ.” […]
આશ્રમમાં દરેક કામની જવાબદારી એક એક બ્રહ્મચારીને સોંપવામાં આવી છે. સમયે સમયે કામમાં બદલી થવાની પણ પ્રથા છે. અમ્મા અનેકવાર કહેતા હોય છે કે, “બ્રહ્મચારીએ કોઈ પણ કામમાં પાછળ ન રહેવું જોઈએ. બધા કામનું જ્ઞાન તેમને હોવું જોઈએ.” સવારના સાત વાગ્યા હતા. અમ્મા આશ્રમની આસપાસના વિસ્તારમાં ચાલતા દેખાયા. અમ્મા ત્યાં જમીન પર પડેલા કાગળના ટૂકડા, […]
બપોરના ત્રણ વાગ્યા હતા. આવતીકાલે, માતૃવાણી પત્રિકાઓને ટપાલમાં મોકલવાનો દિવસ હતો. ઘણું કામ બાકી હતું. ધ્યાન મંદિરના વરાંડામાં બેસી, અમ્મા અને બ્રહ્મચારીઓ સાથે મળીને પત્રિકાઓને કવરમાં નાખી, સ્ટેંમ્પ ચોટાડતા હતા. હોલેંડથી આવેલ પીટર ત્યાં આવ્યો. તે ઘણો ગુસ્સામાં હતો અંગ્રેજીમાં તેણે બ્રહ્મચારી નીલુને કહ્યું, “કોના કહેવાથી તેં ગુલાબના છોડવાઓ પર કીટનાશક દવા છાંટી હતી? અહિંસા વિષે […]
આ અવસરનો લાભ લેતા તે પરિવારના પિતાએ પોતાના બાળકોના વિદ્યાભ્યાસ વિષે અમ્માને બતાવતા કહ્યું, “અમ્મા, આ પુત્રી એક અક્ષર નથી ભણતી. તેને થોડો ઉપદેશ આપો.(પત્ની તરફ સંકેત કરતા) આ તેને લાડ કરીને બગાડે છે.” પત્ની : “અમ્મા! તે હજુ બાળક છે. અમે બંને મળીને તેને મારીએ, મને તે ઉચિત નથી લાગતું. માટે હું તેને કંઈ […]

