અમ્માનું સંભાષણ સાંભળી રહેલો એક નવયુવક કે જે પહેલી જ વાર આશ્રમ આવ્યો હતો, બધાની પાછળ બેઠો હતો. તેના મુખ પર કોઈ આદર કે સંન્માનનો ભાવ ન હતો. અમ્માએ જેવું બોલવાનું બંધ કર્યું કે, કળરીમંડપમાં કૃષ્ણભાવમાં અમ્માનું એક ચિત્ર જે લાગેલું હતું, તેને ઉદ્દેશીને કોઈ પણ પ્રકારના વિનય વિના તેણે પૂછયું, “આ મોરપિંછ અને મુગુટ […]