અમ્માને આ વાતનો અત્યંત સંતોષ છે કે, સ્વામી વિવેકાનંદના નામ પર આંતરધાર્મિક સહકાર અને એકતા માટે, વૈશ્વિકસ્તર પર સનાતન ધર્મના મૂલ્યોને આલેખિત કરવા આવી એક સંસ્થા ઊભી થઈ રહી છે. “સ્વામી વિવેકાનંદ” – આ નામમાં જ અમુક શક્તિ અને આકર્ષણ રહેલાં છે. આ નામ સાંભળતાની સાથે, આપણી જાણ બહાર જ આપણે જાગૃત થયાની, સ્વયંમાં શક્તિના […]