Author / guj

અમૃતા વિશ્વવિદ્યાપીઠ તરફથી પ્રથમ ઓનરરી ડૉક્ટરેટની પદવી પ્રદાન સમારોહ પર અમ્માનો સંદેશ પ્રેમસ્વરૂપી તેમજ આત્મસ્વરૂપી સહુંને અમ્મા પ્રણામ કરે છે. માનનીય કેંદ્ર મંત્રી શ્રી અશ્વિનકુમાર ચોબે, શ્રી જેફ્રે સેઽકસ અને શ્રી કૈલાશ સત્યાર્થિને અમ્માના અભિવાદન. આજે બે નમાંકિત વ્યક્તિઓનું સન્માન કરવાનું અહોભાગ્ય આપણને મળ્યું છે. જેમણે સહૃદયથી, આત્મસમર્પણ સાથે, વિશ્વના કલ્યાણ અર્થે અપૂર્વ યોગદાન આપેલ […]

રાત્રે એક વાગે દર્શન પૂરા થયા. ઘણાખરા ભક્તો સૂવાને ગયા. પરંતુ અમ્મા, બ્રહ્મચારીઓ અને થોડા ભક્તો રાતભર જાગ્યા. બીજે દિવસે ચણતરના કામ માટે આવશ્યક ઈંટો કિનારેથી આ બાજુ લાવવાની હતી. તેઓ આ કામમાં લાગી ગયા. વરસાદની મોસમ હોવાથી આશ્રમની આસપાસ ભૂશિરમાં પાણીની ભરતી આવી હતી. આશ્રમના પ્રાંગણમાં પણ પાણી ભરાયા હતા. દીલ્હીથી આવેલી એક યુવતી […]

ભક્ત : “અમ્મા, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ શું ઈશ્વર સાક્ષાત્કાર શક્ય છે?” અમ્મા : “શક્ય છે, પરંતુ તે માટે તમારે ઉત્તમ ગૃહસ્થાશ્રમી બનવું જોઈએ. ગૃહને આશ્રમ તરીકે જોવું જોઈએ. પરંતુ, આજે યથાર્થ ગૃહસ્થાશ્રમી કોણ છે? એક યથાર્થ ગૃહસ્થાશ્રમીને કશા સાથે પણ બંધન નથી હોતું. સર્વકાંઈ ઈશ્વરેચ્છા તરીકે જુએ છે. પોતાનું જીવન પૂર્ણરૂપે ઈશ્વરને સમર્પિત કરીને જીવે […]

ઘણા લોકોનું માનવું છે કે, જીવન એવી કોઈ બાબત છે જે અહીં નિશ્ચિત સમયે શરૂ થાય છે અને થોડા વર્ષો પછી સમાપ્ત થાય છે. હકીકતમાં જીવન નદી જેવું છે. નદીના કિનારેવાસ કરતા લોકો નદીના અમુક ભાગને જ જોઈ શકે છે. માટે, તેઓ જો કહે કે, નદીની લંબાઈ આટલી જ છે, તો શું તે સાચું હશે? […]

(અમ્માએ પાઠવેલ સંદેશ પર આધારિત.) ફરી એકવાર એક નવવર્ષ ઉદિત થયું છે. નવર્ષનો ઉદય સહુંને આનંદ, ઉત્સાહ અને આશાથી ભરી દે છે. જીવનને જે આગળ લઈ જાય, તે પ્રેરકબળ આશાવાદી વિશ્વાસ જ તો છે. ખરું ને? ગયું વર્ષ કેટ કેટલી પીડાઓ અને અસંખ્ય દુર્ઘટનાઓ સાથે પસાર થયું. હજારો લોકો પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં મૃત્યુ પામ્યા. આથી પણ […]