સામાજીક પરિવર્તન અર્થે પ્રાચીન આધ્યાત્મિક ડહાપણ અને આધુનિક ટેકનોલોજીને ફરી સાથે લઈ આવતા

તા. ૦૮ જાુલાઈ, ૨૦૧૫ના રોજ

અમ્માએ ન્યુયોર્ક મદ્યે અમૃતા યુનિવર્સિટીના ચાન્સલર તરીકેની પોતાની ભૂમિકા ભજવતા સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક ઈમ્પેક્ટ(યુનાઇટેડ નેશન્સ એકડેમિક ઈમ્પેક્ટ) અને અમૃતા યુનિવર્સિટી દ્વારા આયોજીત કોન્ફરેન્સમાં વિશ્વની પ્રમુખ ૯૩ આંતરરાષ્ટ્રિય યુનિવર્સિટીના સંશોધકોને સંબોધિત કર્યા હતા. યુનાઇટેડ નેશન્સ એકડેમિક ઈમ્પેક્ટના પ્રમુખ શ્રી રામુ દામોદરને શ્રોતાઓને અમ્માનો હૃદયસ્પર્શી પરિચય આપ્યો હતો.

    અમ્માનું ઉદ્‌બોધનઃ              

અહીં આજે ઉપસ્થિત બધા જ મહાનુભાવોને હું વિનીત પ્રણામ કરું છું. આ અવસરનો લાભ લેતા હું યુનાઇટેડ નેશન્સ એકડેમિક ઈમ્પેક્ટનો આ સંઘઠનનું આયોજન કરવા બદલ તેમજ એકતાના જે સિદ્ધાતનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે, તે બદલ તેમનો હૃદયથી આભાર માનું છું.

આપમાંના કેટલાકને આશ્ચર્ય થશે કે, “શું અમ્મા જેવી આધ્યાતિમક વ્યકિતને અહીં કોઈ સ્થાન છે?” આધ્યાત્મિક જ્ઞાનની પ્રમાણિકતામાં મારી શ્રદ્ધા મને અહીં આજે તમારી સામે લઈ આવી છે. અનેકવાર હું પૃથ્વીના ભવિષ્ય પર, પ્રકૃતિની જાળવણી પર અને મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેની અદ્રશ્ય થઈ રહેલી સંવાદિતા પર ઊંડાણથી વિચાર કરું છું. આ ચિંતન મને આ નિર્ણય પર દોરી લાવ્યું છે કે, આપણા આ વિશ્વની સંતુલિત જાળવણી અને અસ્તિત્વ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને આધ્યાતિમકતાએ એક થવું જ જોઈએ. આજનો આ યુગ અને આપણી આસપાસનું જગત, આ પરિવર્નન માટેની માગ કરી રહ્યું છે.

દિન પ્રતિદિન વિજ્ઞાન અને ટેકનોલોજી ઝડપથી અનિયંત્રિત પણે વિકસી રહ્યાં છે. કોઈ જાણતું નથી કે આ વિકાસ આપણને ક્યાં દોરી જઈ રહ્યો છે. આપણે જ્યારે આપણી આજુંબાજું નજર કરીએ તો જોવા મળશે કે, વિકાસ કરનારાઓ, ઉત્પાદકો, વિક્રેતાઓ અને ગ્રાહક, બધા જ જે કંઈ નવીન છે, મહાન છે, મોટામાં મોટું છે, તે મેળવવાના ચક્કરમાં ફસાયેલા છે. આજે મનુષ્યની સ્થિતિ મિઠાઈની દુકાનમાં છુટા મૂકવામાં આવેલ બાળક જેવી છે.

આજે પથારીમાં સૂતા સૂતા આપણે કંઈ પણ ખાવાને કે પીવાને કે જોવાને અથવા સાંભળવાનો ઓર્ડર આપી શકીએ છીએ અને તે આપણા ઘરના આંગણા પર પહોંચાડવામાં આવશે. અત્યારે કોઈ નવી વસ્તુ કે વપરાયેલ વસ્તુ ખરીદવા આપણે કોઈ દુકાનમાં જવાની જરૂર નથી. કોઈ પણ કે કંઈ પણ માટેની વેબસાઇટો છે. ઈંટરનેટ આજે વિશ્વમાં ક્રાંતિ લાવી રહ્યું છે, જે સારું છે. અત્યારે આપણે આંગળી દબાવવાથી કંઈ પણ ખરીદી શકીએ છીએ, સિવાય કે એકઃ તે છે પ્રેમ.

આપણી પાસે એર કંડીશન ઘરો, કાર અને ઑફિસો છે. પરંતુ ઘણા લોકોને તેમના એર કંડીશન ઓરડામાં ઊંઘ નથી આવતી અને તેઓ ઊંઘની ગોળીઓ પર નિર્ભર કરે છે. કેટલાક તો તેમના એરકંડીશન બંગલાઓમાં આત્મ હત્યા કરે છે.આનો શું અર્થ થયો? બાહરી સુખ આરામ માત્રથી મનની શાંતિ પ્રાપ્ત નથી થતી. આ માટે મનને એર કંડીશન કરવું જરૂરી છે. આ હાંસિલ કરવા આધ્યાત્મિકતા આપણી સહાય કરે છે.

આજે આપણે ઈટરનેટના યુગમાં જીવીએ છીએ. આ ગ્રહ પર જ્યાં ક્યાંય પણ જઈએ, ઈંટરનેટ જરૂરી છે. પરંતુ ઈંટરનેટના કનેકશન સાથે આપણા અંતર(ઇન્નર)નું કનેકશન પણ શોધવું જરૂરી છે. આધ્યાત્મિકતા આપણને અંતરના તેમજ બહારના જગતનો વહિવટ કરતા શીખવે છે. જેને તરતા આવડે છે, તેમના માટે સમુદ્રના મોજાંમાં ઉછળવું આહ્‌લાદક અનુભવ હશે. પરંતુ જેને તરતા ન આવડતું હોય, તે તો તરત જ ડૂબી જશે.

આજે સમાજમાં શું બની રહ્યું છે? ઝગપથી વીતી રહેલા જીવનની ગતિમાં મનુષ્ય પ્રાથમિક માનવીય મૂલ્યોને ભૂલી ગયો છે; આપણે આ મૂલ્યોના મહત્ત્વની અવગણના કરીએ છીએ. વ્યક્તિગત સ્તરથી આંતરરાષ્ટ્રિય સ્તર સુધી જે કંઈ હિંસા અને અધર્મ આપણે કરીએ છીએ, આપણે તેને વાજબી ઠરાવવા પ્રયત્ન કરીએ છીએ. આપણા આ કાર્યના તર્કને પછી બાકીના સમાજ પર ઠોસવાનો પ્રયત્ન કરીએ છીએ.

આદિકાળથી વિશ્વમાં સમસ્યાઓ રહી છે. આજે યુગોથી યુદ્ધ, સંઘર્શ, સામાજીક ભેદ, વર્ણ ભેદ, જ્ઞાતિ ભેદ તેમજ કુટુંબમાં અસંવાદિતા જેવી સમસ્યાઓથી માનવ સમાજ પીડાતો રહ્યો છે. પરંતુ, આપણા પૂર્વજો એક જુદી દ્રષ્ટિથી જીવનને જોતા હતા. ત્રણ ઘટકો પ્રત્યે તેઓ સહજ રીતે સભાન હતાઃ મનુષ્ય, પ્રકૃતિ અને એક અદ્રશ્ય શકિત જે આ બધાને સંવાદિતાથી બાંધે છે. જીવન પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ ફક્ત વ્યક્તિ અને પ્રકૃતિના ભૌતિક અસ્તિત્વને ધ્યાનમાં ન લેતા, તેઓ તે શક્તિમાં વિશ્વાસ કરતા હતા જે પ્રકૃતિ અને દરેક જીવનો આધાર છે. એક અદ્રશ્ય શક્તિ જે બધા જ જીવોને પ્રકૃતિ સાથે જોડે છે. તેઓ આ શક્તિને જીવનનો અત્યંત મહત્વનો ભાગ માનતા હતા. તેમનું માનવું હતું કે, સમસ્ત પ્રકૃતિ અને બ્રહ્નાંડનો એક એક જીવ, સર્જનરૂપિ દોરામાં પરોવવામાં આવેલા જુદા જુદા આકારના મણકા જેવા છે. આ જ કારણ હતું કે તેઓ વહેંચવાને, કાળજી લેવાને, કદર કરવાને અને સહાનુભૂતિ આટલું મહત્વ આપતા હતા. આજે આપણે તેમની વિચારધારાને પ્રાચીન કહીં, તેમની જીવન રીતની અવગણના કરીએ છીએ.

આધુનિક જીવન તરફ નજર કરતા આપણને જોવા મળશે કે, સમાજમાં કેટલાય લોકો દુઃખમાં ડૂબેલા છે. અતિશય લોભ અને લાલચે મનુષ્યને આંધળો બનાવી દીધો છે. પરિણામ સ્વરૂપ આજે અમાનુષી કૃત્યોમાં વૃદ્ધિ થઈ છે. માનસિક તણાવ અને ઉશ્કેરાટમાં વૃદ્ધિ થઈ છે. જેના કારણે અનેક અજાણ્યા રોગ આજે જોવા મળે છે.

માનવતા આજે સંકટમાં છે. આજે માનવતા પૂર્ણરૂપે વિજ્ઞાન અને ટેકનોલોજી પર નિર્ભર કરે છે. પરંતુ, વર્તમાન પરિસ્થિતિને જોતાં કંઈ નહિ તો આપણે આધ્યાત્મિક વિચારને પણ કેળવવા પ્રયત્ન કરવો જોઈએ.

હાલમાં જ આપણે અનેક પ્રાકૃતિક દુર્ઘટનાઓ અને ભૂગોળની આબોહવામાં આવી રહેલા ચોંકાવનારા પરિવર્તનો તેમજ તાપમાનમાં થઈ રહેલી વૃદ્ધિના સાક્ષી રહ્યાં છીએ. વિશ્વભરનો વિનાશ જે બનવાની અણી પર છે, શું તેને રોકવા માનવ પ્રયત્ન માત્ર પર્યાપ્ત છે? આ પર આપણે ઊંડાણથી વિચાર કરવો જરૂરી છે,

પહેલાંના દિવસોમાં લોકો પ્રકૃતિની સાથે તાળબદ્ધ જીવન જીવતા હતા. કોઈ પણ વૃક્ષને રોપતા કે કાપતા પહેલાં તેઓ શુભ દિવસ જોઇને પછી જ તે કાર્ય કરતા. વૃક્ષને કાપતા પહેલાં લોકો પ્રથમ તેની પૂજા કરતા અને ક્ષમા માગતા કહેતા કે, “હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું, તે માટે કૃપયા મને ક્ષમા કરશો. મારી આવશ્યકતાને વશ હું તને કાપવા જઈ રહ્યો છું.” ત્યારે આજે શું થાય છે? આજે આપણે જવલ્લે જ વૃક્ષ રોપીએ છીએ અને નિર્દયીપણે વૃક્ષો અને સમસ્ત પ્રકૃતિનો નાશ કરીએ છીએ.

અમ્મા જ્યારે નાના હતા, ત્યારે લોકો બાળકોને જો લાગે તો ઘાવ પર ગાયનું છાણ લગાડતા. આથી ઝડપથી ઘાવમાં રુઝ આવી જતી અને તેમાં ચેપ લાગતો નહિ. પરંતુ, આજે જો આમ કરવામાં આવે તો ચોક્કસ ઘાવમાં ચેપ લાગશે. પહેલાંના દિવસોમાં જે અૌષધ હતું તે આજે વિષ બની ગયું છે. આ રીતે પ્રકૃતિ દુષિત થઈ છે.

આપણે જેમ મધર્સ ડે, ફાધર્સ ડે, વેલેન્ટાઇન્સ ડે અને થેંક્સ ગિવીંગ ડે, જેટલા ઉત્સાહ અને જોશ સાથે મનાવીએ છીએ, તે જ પ્રમાણે પ્રકૃતિનો આદર અને આરાધના કરવા માટે પણ એક દિવસ હોવો જોઈએ. તે દિવસે વિશ્વમાં હરેકે ઓછામાં ઓછું એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. આ પછી નવા વર્ષના દિવસે પણ કરી શકાય, આ પ્રમાણે આપણે નવર્ષનો આરંભ શુભ ભાવનાથી કરી શકીએ. આ જો આપણે કરી શકીએ તો આપણો આ ગ્રહ, સ્વર્ગ બની જાય. વૃક્ષ તો ધરતી માતા માટે ઘર બાંધવા જેવું છે.

સર્જનમાં સર્વકાંઈ તાલબદ્ધ છે. સમસ્ત બ્રહ્નાંડ અને તેમાં વાસ કરતો પ્રત્યેક જીવ વચ્ચે અગાધ બંધન રહેલું છે. તમે આનો ઈન્કાર ન કરી શકો. આ વિશ્વ આંતરિક રીતે જોડાયેલા નેટવર્ક જેવું છે. ધારો કે એક જાળ છે અને તેના એક છે છેડાને જો હલાવવામાં  આવે, તો તેના સ્પંદનો સમસ્ત જાળમાં અનુભવવામાં આવે છે. આ જ પ્રમાણે, આપણે આથી સભાન હોઈએ કે નહિ, આપણા બધા જ કાર્યો સમસ્ત સર્જનમાં પડઘા પાડે છે – ભલે પછી તે વ્યક્તિગત હોય કે સમૂહમાં કરવામાં આવ્યા હોય. આપણે કોઈ એકાંકી દ્વીપ નથી. આપણે તો એક સર્વસામાન્ય સાંકળની કડીઓ છીએ.

મનુષ્ય અને પ્રકૃતિ અને આ બંનેથી પર શક્તિ, જ્યારે એક બની કાર્ય કરે, ત્યારે સંવાદિતા બને છે. પરંતુ, અત્યારે આપણે મનુષ્ય અને તેમણે કરેલી શોધોને જ મહત્તવ આપીએ છીએ. આજના આપણા જીવનમાં મૂલ્યોને કોઈ સ્થાન નથી. આ એક સર્વસામાન્ય માન્યતા છે કે, મૂલ્યો અર્થશૂન્ય અને બિનજરૂરી છે.

કોઈ પણ એંજીનને સરળતાથી ચલાવવા તેલ આવશ્યક છે. અ આ જ પ્રમાણે, જે “તેલ” આપણને કોઈ પણ પ્રકારના ઘર્ષણ વિના જીવન જીવવાને સહાય કરે છે, તે આપણા મૂલ્યો છે. આ મૂલ્યોને આપણે આધ્યાત્મિક વિચારણા થકી કેળવીએ છીએ.

વિદ્યાભ્યાસ બે પ્રકારના છેઃએક આજીવિકા માટેનો અને બીજો જીવન જીવવા માટેનો. કૉલેજોમાં જ્યારે આપણે ડૉક્ટર, વકીલ અથવા એંજીનિયર બનવા વિદ્યાભ્યાસ કરીએ છીએ, તે આજીવિકા માટેનો વિદ્યાભ્યાસ છે. ત્યારે જીવન જીવવા માટેનો વિદ્યાભ્યાસ આધ્યાત્મિકતાના અનિવાર્ય સિદ્ધાંતોની સમજ માગી લે છે. વિદ્યાભ્યાસનું લક્ષ્ય એવા લોકોનું સર્જન કરવાનું નથી, જે ફક્ત યંત્રની ભાષા જ સમજે. વિદ્યાભ્યાસનું પ્રમુખ લક્ષ્ય તો જે હૃદયના સંસ્કાર આપે – કાયમી મૂલ્યો પર આધારિત એવી સંસ્કૃતિ હોવું જોઈએ.

આધ્યાત્મિકતા પણ એક વિજ્ઞાન છે. આ પણ જ્ઞાનની એક પ્રમાણિત શાખા છે. જેની અવહેલના ન કરી શકાય. વિજ્ઞાની સમાજ ભૌતિક જગતમાં સંશોધન કરી બ્રહ્નાંડના રહસ્યને જાણવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવમાં આધ્યાત્મિક શાસ્ત્રો આ જ બધા રહસ્યોને ખુલા કરવા જેમણે ગહન આંતરિક ખોજ કરી હતી, તેમના અનુભવોને આલેખિત કરે છે. આપણે જો આધ્યાત્મિકતાને કેવળ ગણિત, ભૌતિકશાસ્ત્ર અને તર્કની દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરીએ, તો આપણે તેની સૂક્ષ્મ બાબતોને ગૃહણ કરવામાં નિષ્ફળ જશું. પહેલાના નામાંકિત વિજ્ઞાનીઓ આ વિશ્વ અને તેની સૂક્ષ્મતાને આદર અને     આશ્ચર્ય સાથે જોતા હતા. તેમના સંશોધનમાં બાળસહજ જીજ્ઞાસા અને શ્રદ્ધા હતી. હકીકતમાં પહેલાંના અને વર્તમાનના ઘણાખરા વિજ્ઞાનીઓએ જીવનના અંતિમ ભાગમાં આધ્યાત્મિકતાને સ્વીકારી હતી. પરંતુ, ત્યાં સુધીમાં તો બહું જ મોડું થયું હતું. આજે જે વિજ્ઞાની સમાજ વિશ્વનું નેતૃત્વ કરી રહ્યો છે, તેઓ આ ભૂલ ન કરે એવી અમ્માની પ્રાર્થના છે.

જીવન તર્ક અને રહસ્યનું સંપૂર્ણ સમન્વય છે, કદાચ રહસ્યમય વધુ અને તર્ક ઓછો. જીવનના બધા જ ક્ષેત્રોમાં હૃદય અને મગજે સાથે મળીને કામ કરવું જોઈએ. દા.ત. સફેદ રેતીને સાકર સાથે ભેળવવામાં આવે તો આ બંનેને જાુદા પાડવા બહુ કઠીન છે. એક બુદ્ધીશાળી વ્યક્તિ માટે પણ આ મુશ્કેલ છે. ત્યારે વિનમ્રતાનું પ્રતીક એવી તુચ્છ દેખાતી કીડી – ત્યાં આવી સરળતાથી તેમાંથી ફક્ત સાકરના કણ ખાઈ જશે.

અમ્માનો જન્મ એક નાના માછીમાર ગામડામાં થયો હતો. અહીં ૯૦% લોકો દૈનિક વેતન પર નિર્ભર કરતા હતા. ગામમાં ઘણા લોકો હૃદયના વાલની બીમારીથી પીડાતા હતા. આ જાણતા હોવા છતાં કે તેમના હૃદયના વાલમાં બ્લોક છે, તેઓ શસ્ત્ર ક્રિય નહોતા કરાવી શકતા. કારણ કે, આ ફક્ત વિદેશથી જ આવતા હતા અને બહું જ મોંઘા હતા. આ પ્રમાણે જે લોકોનું આયુષ્ય ૭૦ અથવા ૮૦ વર્ષનું હતું, તેઓ ૩૦ કે ૪૦ની ઉંમરે મૃત્યુ પામતા હતા. અમ્મા વિચારતા કે, “જો એવો કોઈ  ઉપાય આપણે શોધી કાઢીએ, જેથી અહીં જ આવા વાલનું નિર્માણ કરી શકાય, જે આટલા મોંઘા ન હોય, તો કેટલું સારું થાય.” આ પ્રમાણે ગરીબોની સેવા કરવા અમ્માને સંશોધનમાં રસ જાગ્યો હતો.

ઘણા રાષ્ટ્રોમાં બાળમૃત્યુ એક મહત્વની સમસ્યા છે. આનું કારણ જાણવા અમે ભારતમાં અનેક ગામડાઓની મુલાકાત લીધી. કેટલાક ગામડાઓમાં અમે જોયું કે, મહિલાઓ મુખ્યત્વે છોડવાઓ અને જડીબુટ્ટીઓ ખાઈને પેટ ભરતી હતી. આનું કારણ પૂછતા તેમણે કહ્યું, “અમારા પતિઓ દૈનિક દર પર કામ કરે છે. ત્રણ ચાર દિવસે તેમને કામ મળે છે. આવકના અભાવના કારણે અમને બહું જ ઓછો ખોરાક મળે છે અને જે મળે તે અમે અમારા પતિઓને આપી દઈએ છીએ. અમારી ભૂખ સંતોષવા ખાતર અમે આ છોડવાઓ અને જડીબુટ્ટીઓ ખાઈને પેટ ભરીએ છીએ. આ અપોષિત મહિલાઓ જે બાળકને જન્મ આપે, તે બાળકો ભલા કેવી રીતે હૈયાત રહી શકે?”

બીજા કેટલાક ગામડાઓમાં મહિલાઓએ કહ્યું, “ઘણાખરા પતિઓ તેમની બધી જ આવક મદ્યપાન અને અન્ય કુટેવો પાછળ ખરચ કરી દે છે. ઘરે પાછા ફરી, તેઓ અમારા પર અત્યાચાર ગુજારે છે. ઘરમાં ખાવાને પર્યાપ્ત ખોરાક હોવા છતાં અમને ખાવાની ઇચ્છા નથી થતી.” કેટલાક ગામડાઓમાં મહિલાઓને કોઈ વિદ્યાભ્યાસ પ્રાપ્ત ન હોવાથી તેઓ નિરક્ષર છે. તેમના પતિઓ સરળતાથી તેમની આ સ્થિતિનો લાભ લઈ દસ્તાવેજો પર તેમના નામના હસ્તાક્ષર સ્વયં કરી, જે કંઈ સહાય તેમને સરકાર તરફથી મળી શકે એમ હોય, તે સ્વયં હડપી લે છે અને મહિલાઓને તે નથી મળતી. આ જ કારણસર અમે મહિલાઓ માટે સાક્ષરતા યોજનાની શરૂઆત કરી. અમે હેપ્ટિક સાધનોનો ઉપયોગ કરી આ મહિલાઓને વ્યવસાયિક તાલિમ દેવાનું નક્કી કર્યું હતું.

આજે જેમની પાસે છે અને જેમની પાસે નથી, તેમની વચ્ચેની ખાઈ સમસ્ત વિશ્વ માટે ધાતક ઝેર સમાન છે અને આ તફાવતમાં દિનપ્રતિદિન વૃદ્ધિ જ થઈ રહી છે. એક તરફ પર્વત અને બીજી બાજું ઊંડી ખીણ, આવી છે આજની વર્તમાન પરિસ્થિતિ. એક બાજું એવા લોકો છે, જેઓ સુખ ભોગ પાછળ અબજો ને અબજો વેડફી નાખે છે. ત્યારે બીજી બાજાું એવા પણ લોકો છે, જેઓ એક ટંક ખોરાક મેળવવા, એક દિવસની દવા જેટલા પૈસા મેળવવા માટે મથે છે. આ તફાવતમાં ઘટાડો કરવામાં જો આપણે ઢીલ કરીશું તો તે હિંસામાં પરિણમશે. એમ પણ બને કે તે સાર્વત્રિક હુલ્લડમાં પરિણમે. આ બંને સમૂહને જોડતો પ્રેમ અને કરુણાનો સેતુ, બહુ જરૂરી છે.ગરીબી, માનવતા પર લાદવામાં આવેલ ભયંકર ક્રૂરતા છે. આ બધી જ સારપ અને કાર્યકુશળતાનો નાશ કરે છે. બધી જ મૌલિકતાના પતનનું કારણ પણ આ જ છે.

એક વખત અમ્મા વિદેશમાં કોઈ એક સ્થળે દર્શન આપી રહ્યાં હતા. ત્યારે થોડા બેઘર બાળકો જે શહેરના ભૂગર્ભ માર્ગોમાં રહેતા હતા, દર્શન માટે આવ્યા. તેઓ થોડા ચિત્રો દોરી અમ્માને ભેટ આપવા લઈ આવ્યા હતા. ઘણાખરા ચિત્રો બોમ્બ, મિસાઈલ કે યુદ્ધ મેદાનમાંના હિંસાત્મક દ્રષ્યો હતા. એક બાળકે જીસસ અને મધર મેરીના ચિત્રો દોર્યા હતા પણ તેમના હાથમાં પિસ્તોલ હતી. અમ્માએ તે બાળકને પૂછયું કે, શા માટે તેણે જીસસ ક્રાસઈસ્ટને પિસ્તોલ સાથે દોર્યા હતા. ત્યારે તે બાળકે કહ્યું, “જ્યારે તેમને ભૂખ લાગે ત્યારે ખાવાને નહિ જોઈએ? તેમની પાસે જો પિસ્તોલ હશે તો પિસ્તોલ દેખાડી કોઈને લૂટી શકશે.”

અમ્માએ તે બાળકને પૂછયું, “પુત્ર, શું પૈસા મેળવવા માટે પિસ્તોલ દેખાડી કોઈને લૂટવું માત્ર જ એક ઉપાય છે?“

પેલા છોકરાએ જવાબ આપ્યો, “આ જ તો મારા પિતા કરે છે.”

અમ્માએ પૂછયું, “શું તારા પિતા પૈસા કમાવવા કામ ન કરી શકે?”

છોકરાએ જવાબ આપતા કહ્યું, “મારા પિતા મહેનત કરવાને શક્તિમાન છે. તેઓ અનેક ઈંટરવ્યુ માટે ગયા હતા પણ કોઈ તેમને કામ  આપવાને તૈયાર ન હતું. અમારા જેવા લોકોને કોઈ કામ પર રાખતું નથી. આ જ કારણસર મારા પિતા પિસ્તોલનો ઉપયોગ કરે છે. આ પ્રમાણે તેઓ અમારું પોષણ કરે છે.”

બાળકો જે વ્યકિતગત અનુભવો અને પરિસ્થિતિઓના સાક્ષી બને છે, તેનો ઊંડો પ્રભાવ તેમના માનસ પર પડે છે. કુમળી વયે ગરીબી અને લઘુતાની ભાવના અનેકવાર હિંસાત્મક વાસનાઓ બની પ્રકટ થાય છે. આ પ્રમાણે સમાજમાંથી મૂલ્યો અદ્રશ્ય થાય છે. આવા સંજોગોમાં પ્રેમ અને કરુણા ખાસ જરૂરી છે.

ઘણા લોકો આધ્યાત્મિકતાનો ઉપહાસ કરતા હોય છે. આધ્યાત્મિકતા શું છે? કરુણાને કાર્યમાં પ્રકટ કરવી, આ જ યથાર્થ આધ્યાત્મિકતા છે. આધ્યાત્મિકતાની શરૂઆત કરુણાથી થાય છે અને અહીં જ તે પરાકાષ્ટાએ પહોંચે છે. આપણે જો કરુણાને કેવળ શબ્દમાંથી કાર્યના પથ પર લાવી શકીએ, તો વિશ્વની ૯૦% માનવીય સમસ્યાઓનું આપણે નિવારણ કરી શકીએ.

બીજા લોકોની સહાય કરવા તરફનું પ્રથમ પગલું લોકોમાં જાગરૂકતા લાવવાનું છે. ડાયાબેટીસનો કોઈ રોગી નિયમિત દવા લે અને આ સાથે તે જો મધુર પદાર્થ ખાવાનું ચાલું રાખે તો તેના રક્તમાં સાકરના પ્રમાણમાં વધારો જ થશે. માટે, ખોરાકમાં નિયંત્રણ અને જીવન રીતમાં પરિવર્તન, દવા જેટલા જ મહત્વના છે.

અમ્માને અહીં એક પ્રસંગ યાદ આવે છે. આ ઘટના આપણે દત્તક લીધેલા એક ગામડામાં બની હતી. શરૂઆતમાં અમે દરેક ગામડામાં લોકોના એક જાૂથને ટોયલેટ બાંધતા શીખવાડયું હતું અને બાંધેલા ટોયલેટ તેમને સોંપી, અમે પાછા આવી ગયા હતા. થોડા સમય પછી ફરી જ્યારે અમે તે ગામડાની મુલાકાત લીધી, ત્યારે અમે જોયું કે લોકો ટોયલેટ વાપરતા ન હતા. તેઓ આ નવા ટોયલેટનો દરવાજો ખોલતા, અંદર ડોકીયું કરી, દરવાજો પાછો બંધ કરી પહેલાંની જેમ નજીકના તળાવ કે નદીના કિનારે જઈ સ્વયંને હળવા કરતા. ત્યાર પછી અમે ગામના લોકોને સમજાવવા લાગ્યા. તેમને શિક્ષણ આપવાની શરૂઆત કરી. અમે તેમને સમજાવતા કે, બહાર ખુલામાં હાજતે જવાથી, પાણી અને માટી બંને પ્રદૂષિત થાય છે. જેથી પછી આપણો ખોરાક પ્રદૂષિત થાય છે અને આથી બધી પ્રકારના પરોપજીવી જંતુઓ જેમ કે કરમિયા વગેરે શરીરમાં ઉત્પન્ન થાય છે અને ચેપ લાગે છે. આ પ્રમાણે જ્યારે તેમને શિક્ષણ આપી સમજાવવામાં આવ્યા, ત્યારે લોકોમાં આવશ્યક જાગરૂકતા લાવવા આ સહાયક થયું હતું.

આપણે જ્યારે લોકોને સમજ્યા વિના,તેમને પ્રેમ અને સેવા કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે અનેકવાર આપણે સ્વયંને તેમજ સમાજને નુકસાન જ કરીએ છીએ. આપણી સેવા લાભદાયક રહે, તે માટે એ જરૂરી છે કે તે વિવેકપૂર્વક હો. આ જ સ્થાયી વિકાસનો સાર છે.

એક માછલી નદીમાં પાણી ઉછાળતી હતી. એક વાનર જે તે નદીમાં પોતાની તૃષા છુપાવવા આવ્યો હતો, તેને માછલીને પાણી ઉછાળતા જોઈ. તેણે વિચાર્યું, “બીચારી માછલી પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ છે. મારે તેની રક્ષા કરવી જોઈએ!” તેની આ આવેગી સહાનુભૂતિમાં પેલા વાનરે છલાંગ મારી માછલીને પકડી કિનારા પર રાખી દીધી. માછલી વાયું માટે ફાફા મારવા લાગી અને થોડીવારમાં જ તે મૃત્યુ પામી.

પાણીમાંથી માછલીને બહાર કાઢતા પહેલાં તે વાનરે જો માછલીને સમજવાનો પ્રયત્ન કર્યો હોત તો? તેણે જો પૂછયું હોત, “શું હું તને પાણીમાંથી બહાર કાઢું?” ત્યારે તે માછલીએ જવાબ આપ્યો હોત, “નહિ, તું જો એમ કરીશ તો હું મરી જઈશ!” વિચાર કર્યા વિના કાર્ય કરવું આ વાનરનું માછલીની રક્ષા કરવા જેવું છે. આપણા દરેક કાર્યોમાં હૃદય અને બુદ્ધિ, બંને સંલગ્ન હોવા જોઈએ.

એક વખત એક માણસ દસ વર્ષના એક છોકરાને લઈ અમ્મા પાસે આવ્યો. તે ચાહતો હતો કે અમ્મા આ છોકરાને પોતાના આશ્રમમાં ઉછેરી, મોટો કરે. તેણે અમ્માને તે આખી કહાણી કહીં જેના કારણે તે છોકરો અનાથ થયો હતો. તેણે કહ્યું કે, બે વર્ષ પહેલાં આ છોકરાના પિતા મૃત્યુ પામ્યા હતા. તેની મા અને બહેન તેમના ઘરની નજીક આવેલ મિણબત્તીના કારખાનામાં કામ કરવા જતા હતા. આગળ પછી તેની માને કીડનીનો અસાધ્ય રોગ થતા, તે પથારીવશ થઈ અને તેણે કામપર જવાનું બંધ કર્યું. તેની બહેનને બહું જ થોડો પગાર મળતો હોવા છતાં તેઓ ચલાવતા હતા. થોડા સમય પછી બાળ મજુરી પર પ્રતિબંધ મુકતો કાયદો આવ્યો. તે મિણબત્તીના કારખાનાના માલિકની ઘરપકડ થઈ અને તે કંપની બંધ થઈ ગઈ. જે બધા બાળકો ત્યાં કામ કરતા હતા તેમને છુટા કરવામાં આવ્યા. પોતાની  આવક માટેનો એકનો એક આસરો ગુમાવતા, આ છોકરાની માએ તેને સવારના સ્કૂલે મોકલ્યો અને પછી પોતાની પુત્રીને ઝેર આપી, તેણે સ્વયં ઝેર પી લીધું.

આવા કારખાના બંધ કરવા વાજબી છે. પરંતુ અનેકવાર આપણે તે નાના બાળકોના પરિવારોને ભૂલી જઈએ છીએ, જેઓ આ કારખાનાઓ પર આજીવિકા માટે નિર્ભર કરતા હોય છે. એક સમસ્યાનું નિવારણ કરવા, જો આપણે એક જ બાજાુંને જોઈએ અને બીજી બાજાું લોકો જે કષ્ટ અનુભવતા હોય તેને જોવામાં નિષ્ફળ જઈએ, તો તેના પ્રત્યાઘાત તે લોકોને અનુભવવા પડે છે, જેમની પાસે અન્ય કોઈ માર્ગ નથી.

લોકો પૂછતા હોય છે, “આધ્યાતિમકતાનું મહત્વ શું છે?”

આધ્યાત્મિકતા આપણને અનિવાર્યતા અને અતિશયતા વચ્ચે અંતર કરવાને શીખવે છે. દા.ત. સમય જાણવાને આપણને ઘડિયાળ આવશ્યક છે. રૂા.૧૦૦/-ની ઘડિયાળ હોય કે રૂા.૫૦,૦૦૦/-ની ઘડિયાળ હોય, એક જ સમય બતાવે છે. આપણે જો રૂા.૧૦૦/-ની ઘડિયાળ ખરીદીએ અને બાકીના પૈસાથી કોઈ ગરીબની સહાય કરીએ, તો તે સમાજની એક મહાન સેવા હશે. હજાર પાણીના ઘડામાં આપણને હજાર સૂર્યના પ્રતિબિંબ દેખાશે. પરંતુ વાસ્તવમાં સૂર્ય તો એક જ છે. આ જ પ્રમાણે આપણા બધામાં રહેલો આત્મા એક જ છે. આ પ્રકારનો મનોભાવ આપણને એક એવું મન કેળવવાને સહાય કરે છે, જે સ્વયં કરતાં અન્યને પ્રથમ મહત્વ આપશે. આપણો ડાબો હાથ દુઃખતો હોય ત્યારે જેમ આપણો જમણો હાથ સહજ જ તેને સાંત્વન આપવા આગળ ધપી જાય છે, તે જ પ્રમાણે આપણે અન્યને પ્રેમ કરી, તેમની સેવા કરવી જોઈએ, જે રીતે આપણે સ્વયંને કરીએ છીએ.

આ વિશ્વમાં બે પ્રકારની ગરીબી છે. પ્રથમ ખોરાક, વસ્ત્ર અને આશ્રયસ્થાનના અભાવના કારણે છે અને બીજી, પ્રેમ અને કરુણાના અભાવના કારણે છે. સર્વપ્રથમ આપણે બીજા પ્રકારની ગરીબીનું નિવારણ કરવું જોઈએ. કારણ કે, વ્યકિતમાં જો પ્રેમ અને કરુણા હશે તો તે હૃદયથી ખોરાક, વસ્ત્ર અને આશ્રયના અભાવથી પીડાતા ગરીબોની સેવા અને સહાય કરશે.

આપણે સ્વયં ઈશ્વરના હાથ, આંખ અને કાન બનવું જોઈએ. આપણી પ્રેરણા, શકિત અને ધૈર્ય ઈશ્વરમાંથી પ્રાપ્ત કરવા જોઈએ. ત્યારે ભય, શંકા કે પાપ ક્યારેય આપણને કલંકિત નહિ કરે.

જેમ સૂર્યને મિણબત્તીના પ્રકાશની જરૂર નથી,  ઈશ્વરને પણ આપણી પાસેથી કશાની જરૂર નથી. વહેલા કે મોડું આ શરીર તો નાશ પામશે. માટે, કંઈ ન કરી કટાઈ જવાને બદલે કાર્ય કરીને શરીરને ઘસાવી દેવું વધુ સારું નથી શું? અન્યથા લોકોમાં અને અળસિયામાં શું અંતર? અળસિયા પણ જન્મ લે છે, ખાય છે, ઊંઘે છે, જણે છે અને મૃત્યુ પામે છે. આપણે પણ આપણા જીવનમાં આથી વધુ શું કરીએ છીએ?

બાળકો, ઈશ્વર છે કે નહિ તે તર્કનો વિષય હોય શકે. પરંતુ, કોઈ યુક્તિવાદી એમ ન કહીં શકે કે દુઃખી માનવજાતી અસ્તિત્વમાં નથી. આપણી સગી આખે આપણે પીડિત માનવજાતીને જોઈ શકીએ છીએ. અમ્મા આવા લોકોની સેવાને જ યથાર્થમાં ઈશ્વર સેવા માને છે. અમ્માની આ પ્રાર્થના છે કે, આ પ્રકારનો આત્મ-બલિદાનનો ભાવ તેમના બાળકોમાં જાગે.

આ વિશ્વ આપ સહુના થકી આ જાણે કે, પ્રેમ, કરુણા, નિઃસ્વાર્થતા અને ત્યાગના પાણી માનવ હૃદયમાંથી સૂકાયા નથી.

જે ગામડામાં અમ્માનો જન્મ થયો, ત્યાં ૧૦૦૦ પરિવારો વચ્ચે એક જ પાણીનો નળ હતો. સવારથી રાત સુધી રાહ જોઈએ, ત્યારે વ્યક્તિ દિઠ એક ઘડો પાણીનો મળે. ક્યારેક તો સ્હેજેય પાણી ન મળે. આ બધા અનુભવોના કારણે,  અમ્મા જ્યારે ક્યારે પણ નળમાંથી પાણી વહી જતું જાૂએ, ત્યારે તેમને લાગે છે જાણે પાણી નહી પણ તેમનું રક્ત વહી રહ્યું છે. આપણે વિચારીશું કે, “કેવી રીતે પાણીનો બગાડ કરવાનું અટકાવી શકાય? આના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ?”

પ્રાથમિક આવશ્યકતાઓના અભાવ સાથે અમ્મા જીવતા હતા. પોતાની આજાુબાજાુના લોકોના દુઃખ તેમણે જોયા છે. માટે, જ્યારે પણ અમ્મા કોઈ દુઃખી વ્યકિતને જાૂએ છે, કે તરત તેમની સહાય કરવાની લાગણી તેઓ અનુભવે છે. પ્રકૃતિ આપણી માતા છે. આપણને જન્મ દેનાર મા થોડા વર્ષો સુધી આપણને તેના ખોળામાં રાખશે, પરંતુ પ્રકૃતિ માતા, જીવનભર આપણને પોતાના ખોળામાં રાખે છે.

અમ્માની એક ઇચ્છા છે. અમ્મા ચાહે છે કે, વિશ્વની બધી જ યુનિવર્સિટીઓએ પોતાના વિદ્યાર્થીઓને તેમના વિદ્યાભ્યાસ ક્રમ દરમ્યાન ઓછામાં ઓછા એક બે મહિના માટે પણ ગામડાઓમાં અથવા શહેરની ઝૂપડપટ્ટીમાં મોકલવા જોઈએ. ત્યારે ગરીબ લોકો જે સમસ્યાઓનો સામનો કરે છે, તેઓ તેને મુખાનુમુખ જોઈ શકશે. ત્યારે પછી તેઓ તેનું નિવારણ શોધી કાઢશે અને જે બધું તેઓ શીખ્યા હતા, તેના પર પેપર લખી શકશે. આ આપણને અસરકારક રીતે ગરીબની સેવા કરવાને સહાય કરશે. આ સાથે આજની યુવા પેઢીમાં કરુણા જેવા ગુણ પણ કેળવી શકાશે.

આજે યુનિવર્સિટીઓ અને તેના સંશોધકો કેટલા ફન્ડ મેળવે છે, કેટલા પેપરો તેઓ બહાર પાડે અને તેમની બૌદ્ધિક ગુણવત્તાના આધાર પર તેમનું મૂલ્યાંકન થાય છે. આના આધાર પર જ અધ્યાપકોની બઢતી થાય છે. આ ઉપરાંત, તેમના સંશોધનનો ઉપયોગ સમાજના નીચલામાં નીચલા સ્તરના લોકોની સહાય માટે કેટલે હદ સુધી કરી શકીએ, તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. વિકાસ જે ટકાઉ હોય, તે માટેના આપણા પ્રયત્નમાં સમાજના નીચલા વર્ગના લોકોને સશક્ત કરવાનું ન ભૂલવું જોઈએ. કારણ કે, પિરામિડના આધારમાં રહેલા લોકોનું સશકિતકરણથી જ સમસ્ત સમાજની ઇમારત સશક્ત અને સદ્રઢ બને છે.

પાછલી સદીમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને જાૂદા પાડવામાં આવ્યા હતા, આ માનવતા વિરૂદ્ધ મહાન અપરાધ હતો. જ્ઞાનની આ બે પ્રમુખ શાખાઓ કે જે હાથમાં હાથ પરોવીને આગળ વધવી જોઈએ, તેને વિભાજીત કરવામાં આવી અને તેના અભ્યાસીઓને આધુનિક વિજ્ઞાનીઓ અથવા ધર્મ પ્રણેતાઓ તરીકે મુદ્રિત કરવામાં આવ્યા હતા. આ વિચાર કે, “વૈજ્ઞાનિક શોધ માત્ર જ તર્ક અને બુદ્ધિ સાથે સુસંગત છે. તે માત્ર જ સત્ય છે. ધાર્મિક વિશ્વાસ અંધ અને ગેરમાર્ગે દોરી જાય છે.” પ્રચલિત થયો હતો.

હાલની બધી જ પ્રાકૃતિક દુર્ઘટનાઓ અને વૈશ્વિક આબોહવામાં આવી રહેલું ચોંકાવનારું પરિવર્તન, આપણા આ સુંદર ગ્રહના અસ્તિત્વ માટે પડકાર છે. હવે, ઘણા લોકો ન છુટકે એમ વિચારવા લાગ્યા છે કે, આ બધાનું કારણ તો વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને ત્રાજવાના જુદા જુદા છાબડામાં તોલવા અને એકથી બીજાું મહાન માનવું છે.

કોઈપણ કાર્યનું ધાર્યું પરિણામ મેળવવા ત્રણ ઘટક આવશ્યક છેઃ ઉચિત સમય, સ્વ-પ્રયત્ન અને ઈશ્વર કૃપા.

સાધના અને કરુણા બે નથી, પણ એક જ છે. એ તો આપણા નિઃસ્વાર્થ કાર્યો જ છે જે ઈશ્વર કૃપા બની આપણને પ્રાપ્ત થાય છે.

અમ્માની પ્રાર્થના છે કે, આપણા આ જીવન પ્રેમની રજમાં સ્થિર હો. સદકર્મ તેના પાન હો અને દયાભર્યા વચનો તેના ફૂલ હો, શાંતિ તેના ફળ રહે, પ્રેમમાં એક બની આ વિશ્વ એક કુટુંબની જેમ ફૂલે ફલે, આ પ્રમાણે એવા એક જગતનુ સર્જન કરીએ જ્યાં શાંતિ અને સંતોષ કાયમ રહે. આ અમ્માની હૃદયપૂર્વકની પ્રાર્થના છે.

।। લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ ।।