યુવક : “અમ્મા, અમે જ્યારે કહ્યું કે અમે આશ્રમ જઈએ છીએ, ત્યારે
ઘણા લોકો અમારી મશ્કરી કરવા લાગ્યા. તેમનું કહેવું હતું કે, આશ્રમ અને
મંદિરો તો વૃદ્ધ લોકો માટે છે.”

અમ્મા : “મંદિરો અને આશ્રમો તો લોકોમાં આધ્યાત્મિક ચિંતન અને
ઉત્તમ ગુણો વિકસાવવા માટે છે. આજે ઘણા લોકોને મંદિરોની નિંદા કરતા જોઈએ
છીએ.

રાષ્ટ્રિય પાર્ટીઓને, પાર્ટીની ધજાઓ ઉંચકીને સરઘસમાં નીકળતા તમે
નથી જોયા? કોઈ તેમની એક ઝંડીને ફાડે, કે બાળે કે પછી તેના પર થૂંકી જાુએ,
તે બધા લોકો ભેગા મળી, મારી મારીને તેની હત્યા કરશે. વાસ્તવમાં તે ઝંડીમાં
શું છે? તે તો કપડાનો એક ટૂકડો માત્ર જ છે. એક જાય, તો બીજા જેટલા જોઈએ
તેટલા પૈસા દેતા મળે! પરંતુ, તેમ નથી. તે ધજા, એક આદર્શનું પ્રતીક છે.
તેમની પાર્ટીનું પ્રતીક છે. માટે, તેઓ તેનો અનાદર સહન કરી શકે નહિ. આ જ
પ્રમાણે, મંદિર ઈશ્વરતત્વના પ્રતીક છે. આ ઉપરાંત, તેમાં આપણે ઈશ્વરના
દર્શન કરીએ છીએ. મંદિરમાં પ્રવેશ કરી, દર્શન કરતી વખતે, આપણામાં
સદ્‌વિચારો ખીલે છે. આપણા યથાર્થ આદર્શનું સ્મરણ થાય છે. મંદિરનું
અંતરીક્ષ તો ઈશ્વરના પવિત્ર વિચારોથી શુદ્ધ થયેલું હોય છે. ગરમીના મોસમમાં
જેમ વૃક્ષની છાયા, શિયાળામાં જેમ ગરમવસ્ત્રો, તેમ માનસિક સંતાપ
અનુભવતા લોકોને મંદિરનું અંતરીક્ષ સાંત્વના બક્ષે છે. મંદિરોમાં સારાં સંસ્કાર
ગ્રહણ કરી, ત્યાં બેસી પ્રભુ ભજન કરવાથી આપણે આધ્યાત્મિક પ્રગતિ કરીએ
છીએ.”

એક યુવક : “આજે મંદિરો ફક્ત વેપારના સ્થળો બની ગયા છે. એ તો
કહી શકાય, નહિ શું?”

અમ્મા : “આંખ બંધ કરી, મંદિરોનો ઉપહાસ કરવાનો કોઈ અર્થ નથી.
એ સત્ય છે કે, આજે ઘણા મંદિરો યોગ્ય રીતે કાર્ય નથી કરતા. પરંતુ, મંદિરોપર
આક્ષેપો મુકવાને બદલે, આપણે તે લોકોને મળી, જે કંઈ ભૂલ હોય, તે સુધારવાનો
પ્રયત્ન કરવો જોઈએ. કોઈ ડૉક્ટર ભૂલ કરે તો આપણે એમ નથી કહેતા કે
હોસ્પિટલ જ ન જોઈએ?”

“દરેક ગામડામાં ઓછામાં ઓછું એક મંદિર તો હોવું જ જોઈએ. આજે
બધા ફક્ત પોતાના સ્વાર્થનો જ વિચાર કરે છે. તે દુષિત તરંગોને નહિવત્‌ કરવા,
મંદિરનું અંતરીક્ષ શક્તિમાન છે. મંદિરે જઈ, ફક્ત બે સેકેંડ મન એકાગ્ર કરીએ
તો ત્યાંના અંતરીક્ષથી આપણું મન શુદ્ધ થાય છે.

“કોઈ પૂછી શકે, “શું મૂર્તિમાં ઈશ્વર રહેલો છે?” તમે વાદ કરી શકો કે,
“વાસ્તવમાં તો આપણે મૂર્તિકારની આરાધના કરવી જોઈએ, નહિ શું?” પિતાનું
ચિત્ર જોઈએ, ત્યારે આપણે રંગ કે ચિત્રકારને તો યાદ નથી કરતા? ઈશ્વર તો
સર્વવ્યાપી છે. આ આંખોથી આપણે તેને ન જોઈ શકીએ. પણ મંદિરમાં મૂર્તિના
દર્શન કરીએ ત્યારે આપણને ઈશ્વરનું સ્મરણ થાય છે. તે સ્મરણ આપણને
અનુગ્રહિત કરે છે. તે આપણા મનને શુદ્ધતા અને પવિત્રતા બક્ષે છે.”

એક યુવક : “અમ્મા, મનમાં જે સંશયોને લઈ અમે ફરતા હતા, આજે
આપે તેનું નિવારણ કર્યું છે. હું ચંદનનો ચાંલ્લો કરું છું, પણ તેની પાછળના તત્વ
કે તેના ઉદ્દેશ્થી, હું અજાણ હતો. ઘરે વડીલો ચંદન લગાવતા હોય છે. અમે તો
તેનું અનુકરણ માત્ર જ કરતા હતા. અમારાં મિત્રો જ્યારે આ વિષે પૂછતા, ત્યારે
તેમની સામે ફક્ત મોં બંધ કરીને ઊભા રહેતા. બાળપણમાં જે ઈશ્વરમાં વિવાસ
રાખતા હતા, તેમાંના કેટલાક આજે ઈશ્વરનો નિષેધ કરી રહ્યાં છે. આજે તેઓ
સિગરેટ અને મદ્યપાનને આધીન થયા છે. યુક્તિપૂર્વક તેમને કોઈ
સમજાવવાવાળું હોત, તો આ રીતે તેમણે સ્વયંનો નાશ ન કર્યો હોત. હું પણ
માર્ગ ચૂક્યો હોત, પરંતુ કોઈ ભયને કારણે હું પૂર્ણરૂપે ઈશ્વરથી મોં ફેરવી શક્યો
નહિ ફરી ક્યારે હું મારાં જૂના મિત્રોને લઈને આવીશ. અમ્મા, જો તમે ચાહો
તો તેમને સન્‌માર્ગપર લાવી શકો.”

અમ્મા : “નમઃ શિવાય (હસતા) પુત્ર, જે ખરેખર ઈશ્વરમાં વિશ્વાસ
રાખે છે, તે આદર્શને અનુસરી જીવન જીવે છે, તેમને ક્યારેય બૂરી આદતો
પોતાને આધીન કરી શકે નહિ. કારણ કે, તેઓ પોતાનામાં સ્થિર રહી જીવતા
હોય છે. તેઓ આનંદને બહાર નહિ, પણ પોતાની અંદર શોધે છે. પોતાની અંદર
રહેલા ઈશ્વરના દર્શન કરી, તેઓ આનંદ પામે છે. તેને કોઈ બાહ્ય વસ્તુ બાંધી
શકે નહિ. અમ્મા કોઈને ઈશ્વરમાં વિશ્વાસ કરવાને બાધિત કરતા નથી. પરંતુ
શા માટે બૂરી આદતોને આધીન થવાનું? ઘરનાઓ અને સમાજ માટે શા માટે
બોજારૂપ બનવાનું? સિગરેટ પીવી, મદ્યપાન, પૈસા ઉડાડવા, આ બધું આજે
ફેશન બની ગયું છે. રાજ્યનિતિજ્ઞો કે અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓ, યુવાવર્ગને
આ પ્રકારની બૂરી આદતોમાંથી પાછા વાળવાનો પ્રયત્ન પણ કરતા નથી.
આ જ તો મુશ્કેલી છે. સ્વયં જો આચરણમાં ન મૂકે તો બીજા લોકો કેવી રીતે
શીખે? કેવી રીતે આદર્શોને ગ્રહણ કરે?”

અમ્માએ માતૃવાણીની એક પ્રતિ હાથમાં લીધી અને તેને ખોલી. તેનું
એક પાનું વળેલું હોવાથી, તે પાનું સરખુથી છપાયું ન હતું.

અમ્મા : “બાળકો, માતૃવાણીની દરેક પત્રિકાને કવરમાં નાખતા પહેલાં
ખોલીને દરેક પાનું તપાસી લેશો. શું આશ્રમવાસીઓએ બધા કાર્યોમાં પૂર્ણ
જાગરૂકતા અને કાળજી ન રાખવા જોઈએ?”

એક બ્રહ્મચારી થાળીમાં ભસ્મના પડીકા અને મીઠાઈ લઈને અમ્મા પાસે
આવ્યો. અમ્માએ તે નવયુવકોને કે જે પહેલીવાર આવ્યા હતા, તેમને બોલાવતા
કહ્યું, “બાળકો, આવો!”

પોતાના મનમાં લાંબા સમયથી સંગ્રહિત સંશયોનું આજે નિવારણ થયું
હતું. કૃતજ્ઞતાના ભાવ સાથે અમ્માના પવિત્ર કરકમલોમાંથી પ્રસાદ સ્વીકારી
તે યુવકોએ વિદાય લીધી.