આપણે, “મને શું મળશે,” એવો વિચાર ન કરતા, “હું શું આપી શકું” એવા વિચાર કરવા જોઈએ. જે કોઈ કર્મ કરીએ, તેને આનંદથી પૂરું કરવું જોઈએ. કર્મમાં આનંદ પસારવો, આપણા માટે બહુ જરૂરી છે. આ કેમ શક્ય છે? કર્મમાં જયારે બુદ્ધિ અને હૃદય આવી મળે છે, ત્યારે તેનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. એક માને પોતાના બાળકની સંભાળ લેવી, શ્રમ ભર્યું કામ નથી. ત્યારે એક આયા માટે તે ઘણો શ્રમ માગી લે છે. કર્મ નહિ, પણ તે માટેનો આપણો મનોભાવ આપણને આનંદ કે દુઃખ આપે છે.

સામાન્યતઃ આપણે આપણા સંતોષ ખાતર કામ કરીએ છીએ. તેમ છતાં આ સાથે જોવું જોઈએ કે, તે અન્ય માટે પણ આનંદદાયક બની રહે. એક માણસ કોઈની હત્યા કરે, ત્યારે હત્યારા માટે તે સંતોષદાયક હશે પણ અન્ય માટે તો તે દુઃખનું કારણ જ બની રહેશે. આ જ કારણસર, આ પ્રકારનું કર્મ, કર્મયોગ નથી બનતું. કોઈ પણ કર્મ કરતી વખતે, આપણને શું મળશે, એ વિચાર ન કરતા, અન્યને આપણે શું આપી શકીએ, તે વિચાર આપણે કરવો જોઈએ. એ જ કર્મયોગ છે.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)