આ વર્ષની ક્રિસમસની સંધ્યા ખરેખર વિશેષ હતી. આશ્રમનો પ્રમુખ ભજન હૉલ વિશ્વભરથી આવેલા અમ્માના ભક્તોથી ખિચોખીચ ભરેલો હતો. હૉલમાં અમ્માના આગમન પછી આજના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી. વિશ્વભરના અમ્માના ભક્તોએ જીસસ ક્રાઈસ્ટની મૂળ કથા ભજવી હતી. અમ્મા બધા ભક્તોથી ઘેરાયેલા બેઠા હતા. એક બાજું બે નાના બાળકો તેમના ખોળામાં ચડીને બેઠા હતા તો બીજી બાજું સાન્ટાના વેશમાં ફ઼્રાન્સથી આવેલ વિદેશી ભાઈ બેઠા હતા.

અમ્માએ આગળ કહ્યું હતું કે, ક્રાઈસ્ટનું પાછું ફરવું, આને બહારનું તરીકે દેખશો નહિ. અહમ્‌ અને સ્વાર્થતાને દૂર કરવા જરૂરી છે અને અંતરમાં ઈશ્વરને સ્વીકારવા, એ આપણું સાચું લક્ષ્ય છે. આપણું નિષ્કલંક હૃદય જ સાચી ગમાણ છે. અમ્માએ બધાને સ્મરણ કરાવ્યું હતું કે, સ્વર્ગ બી રૂપમાં આપણા બધાની અંદર છે. આધ્યાત્મિક પથમાં ક્યારેય નિરુત્સાહ ન થવું જોઈએ. અમ્માએ આગળ ઉમેરતા કહ્યું હતું કે, પ્રકૃતિનો પ્રત્યેક ભાવ આપણને આવા પાઠ શીખવે છે. બહાર દિવાલો બાંધતિ વખતે, એ બહુ અગત્યનું છે કે, આપણે આપણા મનની અંદર દિવાલો ન બાંધીએ. ક્રિસમસની સાચી ભેટ રૂપે, આપણે આપણી અંદરના સંમાનો ખોલવા જોઈએ અને તેમને અન્ય લોકોમાં વહેંચવા જોઈએ. ચમકતા તારાની જેમ આપણે પણ આપણા માર્ગને પ્રકાશિત કરતા આપણા લક્ષ્યને ભુલવું ન જોઈએ.અમ્માએ કહ્યું હતું કે, જ્યારે આપણે યાદ કરીને કોઈ ઉજવણી માટેની યોજના ઘડીએ, ત્યારે તે ઉજવણી પાછળના સાચા કારણને ક્યારેય ભુલવું ના જોઈએ. હકારાત્મક મન અને નિખાલસતા દ્વારા જ મહાત્માના સંદેશને આપણે જોઈ શકીએ. આપણા હૃદયને ખુલા કરી, આપણા અંતરના બાળકને જાગૃત કરવું, આ સંદેશને આપણે યાદ રાખવો જોઈએ. નિખાલસતાથી નિખાલસતા તરફ આગળ વધવું, આ જ આધ્યાત્મિક જીવનની સાચી યાત્રા છે. અમ્માએ પછી આ ઉજવણીનું સમાપન કરતા બે ભજનનું નેતૃત્વ કર્યું હતું. ભજન પુરા થયા કે બધાએ અમ્મા સાથે થોડી વાર લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ મંત્રનો જાપ કર્યો હતો.

છેવટે પછી પરંપરાનુસાર સાંટા ક્લૉસના વેશમાં એક ભક્ત અને આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે બધા ભક્તોએ ભાગ લીધો હતો તેઓ કેકના થાળ લઈ અમ્માપાસે લાવ્યા હતા અને અમ્માએ કેક કાપી, ઉપસ્થિત સહુકોઈને પ્રસાદમાં ક્રિસમસની કેક આપી હતી. આ પ્રમાણે અમ્માની મધુર ઉપસ્થિતિમાં, મધુર સ્મરણો સાથે,મધુર કેક સાથે અમૃતપુરી આશ્રમમાં ક્રિસમસ ઉજવવામાં આવી હતી. ૐ